________________
[: ૧૯૪: તે વખતે તે નગરમાં સેવ કરવાને ટાઈમ હતો.
એક દિવસ કેટલાક તરૂણ સાધુઓ ભેગા થયા અને પરસ્પર વાતે ચઢ્યા. ત્યાં એક સાધુ બે કે “બેલે આપણામાંથી કેણ સવારમાં જ રાંધેલી સેવ લાવી આપે એમ છે?” ત્યાં ગુણચંદ્ર નામના એક નાના સાધુએ કહ્યું કે “હું લાવી આપું.” ત્યારે બીજો સાધુ બે કે “જે ઘી ગોળ સાથે આપણે બધાને સેવ પુરી ન થાય તે શા કામની? થેડી લઈને આવે તેમાં શું થાય? માટે બધાને પૂર્ણ થાય તેટલી લાવે તે ખરે?”
આ સાંભળી અભિમાનમાં આવેલ ગુણચંદ્ર મુનિ બે કે “સારું, તમારી જેવી ઈચ્છા હશે તે પ્રમાણે લાવી આપીશ.” એવી પ્રતિજ્ઞા કરીને મેટું નંદીપાત્ર લઈને સે લેવા માટે નીકળે.
ફરતાં ફરતાં એક કૌટુંબિકના ઘરમાં ઘણું સેવ, ઘી, ગોળ વગેરે તૈયાર કરેલું જોવામાં આવ્યું. આથી તે સાધુએ ત્યાં જઈને અનેક પ્રકારનાં વચને બોલવા દ્વારા સેવની માંગણી કરી, પરંતુ કૌટુંબિકની સ્ત્રી સુલોચનાએ સે આપવાની સાફ ના પાડી, અને કહ્યું કે “તને તે જરા પણ ન આપું” આથી સાધુએ માનદશામાં આવી કહ્યું કે “હું તારે ઘેરથી જ અવશ્ય ઘી ગોળ સાથે સેવ લેવાને.”
સુલોચના પણ અભિમાન પૂર્વક બોલી કે “જો આ સેવમાંથી જરા પણ સેવ મેળવે તે મારા નાક ઉપર પેસાબ કર્યો એમ સમજજે.” અર્થાત્ મારું નાક કાપ્યું એમ જાણજે.