________________
: ૧૮૦ ;
બહાર ગામ ગયાને ઘણા દિવસ થવા છતાં પિતાને પતિ પાછો નહિ આવવાથી શેક કરતી હતી. આથી સાધુએ મુખીની સ્ત્રીને કહ્યું કે “તું શેક શા માટે કરે છે? તારા પતિ ગામ બહાર આવી ગયા છે, આજે જ તને મળશે.
સ્ત્રી હર્ષ પામી. પિતાના સંબંધીઓને તેમને લેવા માટે સામાં મોકલ્યા.
આ બાજુ મુખીએ વિચાર કર્યો હતે કે “છાને માને મારા ઘેર જાઉં અને મારી સ્ત્રીનું ચારિત્ર જોઉં કે સુશીલા છે કે દુશીલા છે?” પરંતુ સંબંધીઓ સામા મળ્યા એટલે મુખી આશ્ચર્ય પામે. પૂછયું કે “મારા આગમનની તમને શી રીતે ખબર પડી?”
સંબંધીઓએ કહ્યું કે “તમારી પત્નિએ કહ્યું એટલે અમે આવ્યા. બીજુ કંઈ અમે જાણતા નથી.”
મુખી ઘેર આવ્યું અને પિતાની પત્નિને પૂછયું કે “મારા આગમનની તને શી રીતે ખબર પડી?”
સ્ત્રીએ કહ્યું કે અહીં મુનિ આવ્યા છે તેમણે નિમિત્તના બળે મને કહ્યું હતું.'
મુખીએ પૂછ્યું કે “એના જ્ઞાનની બીજી પણ કાંઈ ખાત્રી છે?”
સ્ત્રીએ કહ્યું કે “તમે મારી સાથે જે ચેષ્ટાઓ કરેલી, જે વાતચિત કરેલી, તથા મેં જે સ્વમ જોયેલાં, તથા મારા ગુપ્ત ભાગમાં રહેલું તલ વગેરે મને કહેલું, તે બધું સાચુ હેવાથી તમારું આગમન પણ સાચું હશે, એમ મેં નિર્ણય કર્યો હતે અને તેથી તમને લેવા માટે બધાને સામે મેકલ્યા હતા.'