________________
પૂજયપાદ ઉપકારી મારા ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજયજંબુસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ પૂજ્યની સંસ્કૃપા અને સગેરણાના ફળસ્વરૂપે મેં વાડાશિનેરમાં સંવત ૨૦૨૦ ના ચાતુર્માસમાં આ ગ્રંથ લખવાની શરૂઆત કરી અને ચાતુર્માસ દરમ્યાન લખાણ પૂર્ણ કર્યું. તે આખું લખાણ ઉપકારી પૂજ્ય ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજયજબૂસૂરીશ્વરજી મહારાજ સાહેબને અમદાવાદ શ્રી વિજયદાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિરે મેકલી આપ્યું. શાસનનાં તથા આરાધનાનાં બીજાં અનેક કાર્યોમાં રક્ત હોવા છતાં પિતે કિંમતી સમય કાઢીને સંપૂર્ણ લખાણ બરાબર જોઈ–તપાસી સુધારા-વધારા કરી સંવત ૨૦૨૧ ના મારા પાલીતાણ (આરીસાભુવન) ખાતે ચાતુર્માસમાં મોકલી આપ્યું. તે આખા લખાણની પ્રેસ કોપી કરી. બાદ તેનું મુદ્રણ કાર્ય શરૂ કરવામાં આવ્યું. આ ગ્રંથ લખવામાં સહાયક થનાર સૌને યાદ કરવાનું ભૂલતે નથી. આર્યશ્રી જબૂસ્વામિ જેન મુક્તાબાઈ આગમમંદિર તરફથી પ્રસિદ્ધ થતે આ ગ્રંથ “શ્રી ઓઘનિર્યુક્તિ પરાગ” ગ્રંથની જેમ પૂજ્ય સાધુ-સાધ્વી મહારાજેને ઉપયોગી બનશે અને ખપી .આત્માઓ એને સુંદર લાભ ઉઠાવશે એવી આશા સાથે વિરમું છું. સં. ૨૦૨૨ માગશર સુ. ૧૧ | પૂજ્ય આચાર્ય શ્રીમદ્વિજયજંબુસૂરીશ્વર(મૌન એકાદશી પર્વ)
પાદપઘરેણું– આરીસાભુવન પાલીતાણા) નિત્યાનંદવિજય