________________
૨ દૂતીપિંડેષ सग्गामे परग्गामे दुविडा दुई उ होइ नायना। सा वा सो वा भणई भणइ व तं छन्नवयणेणं ॥५४॥
| (પિ. નિ. ૪૨૮) દૂતીપણું બે પ્રકારે થાય છે–૧ જે ગામમાં રહ્યા હોય તે જ ગામમાં અને ૨ બીજા ગામમાં. ગૃહસ્થને સંદેશ સાધુ લઈ જાય કે લાવે અને તે દ્વારા ભિક્ષા મેળવે તે દૂતીપિંડ કહેવાય. - સંદેશે બે પ્રકારે જાણ–૧ પ્રગટ રીતે જણાવે અને ૨ ગુપ્ત રીતે જણાવે. તે પણ બે પ્રકારે. લૌકિક અને લકત્તર:
લૌકિક પ્રગટ દૂતીપણું–બીજા ગૃહસ્થ જાણી શકે તે રીતે સંદેશે જણાવે.
લૌકિક ગુપ્ત દૂતીપણું–બીજા ગૃહસ્થ આદિને ખબર ન પડે તે રીતે સંકેતથી જણાવે.
લકત્તર પ્રગટ દૂતીપણું–સંઘાક સાધુને ખબર પડે તે રીતે જણાવે.
લોકેત્તર ગુપ્ત દૂતીપણું–સંઘાક સાધુને ખબર ન પડે તે રીતે જણાવે.