________________
': ૧૭૧ :
છૂટી થયેલી તે ધાત્રી સાધુ પ્રત્યે દ્વેષ કરે, ઉદ્દાહ કરે કે સાધુને મારી પણ નાખે વગેરે દે રહેલા હેવાથી સાધુએ ધાત્રીપણું કરવું ન જોઈએ,
આ ક્ષીર ધાત્રીપણું કહ્યું. તે પ્રમાણે બાકીના ચાર ધાત્રીપણાં પણ સમજી લેવાં. બાળકને રમાડવા, ખેલાવવા વગેરે કરવાથી સાધુને ધાત્રીદોષ લાગે છે.
દૃષ્ટાંત શ્રી સંગમ નામના આચાર્ય હતા. વૃદ્ધાવસ્થા આવતાં તેઓનું જંઘાબળ ક્ષીણ થતાં અર્થાત્ ચાલવાની શક્તિ નહિ રહેવાથી, કોલકિર નામના નગરમાં સ્થિરવાસ કર્યો હતે.
એક વખત તે પ્રદેશમાં દુકાળ પડવાથી શ્રી સંગમસૂરિજીએ સિંહ નામના પિતાના શિષ્યને આચાર્ય પદવી આપી, ગરછ સાથે સુકાળવાળા પ્રદેશમાં વિહાર કરાવ્યું અને પોતે એકલા જ તે નગરમાં રોકાયા. . આચાર્ય ભગવંતે નગરમાં નવ ભાગો કલ્પી, યતના પૂર્વક માસક૯પ સાચવતા હતા. (ચોમાસાના ચાર મહિનાને એક કલ્પ અને આઠ મહિના મહિને મહિને એક એક કલ્પ) આ પ્રમાણે વિધિપૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવપૂર્વક મમતા વગર સંયમનું શુદ્ધ રીતે પાલન કરતા હતા.
એક વખતે શ્રી સિંહસૂરિજીએ આચાર્ય મહારાજની ખબર લેવા દત્ત નામના શિષ્યને મેક. દત્તમુનિ આવ્યા અને જે ઉપાશ્રયમાં આચાર્ય મહારાજને મૂકીને તે ગયા હતા,