________________
કે “આ સાધુ બાઈઓ આગળ મીઠું મીઠું બોલે છે. અથવા પિતાના પતિને કે બીજા લોકોને કહે કે “આ સાધુ, ખરાબ આચરણવાળે છે, મૈથુનની અભિલાષા રાખે છે.” વગેરે વાતે કરીને શાસનની હીલના કરે વગેરે ધાત્રીપિંડ ગ્રહણ કરવામાં દે રહેલા છે.
ધાત્રીપણું કરવાનો બીજો પ્રકાર ભિક્ષાએ ફરતાં કઈ ઘરમાં સ્ત્રીને ચિંતાતુર જેઈને પૂછે કે “કેમ આજે ચિંતાતુર દેખાઓ છે?” *
સ્ત્રી કહે કે “જે દુઃખમાં સહાયક થઈ શકે તેમ હોય તેમને દુઃખ કહ્યું હોય તે દુઃખ દૂર થાય. તમને કહેવાથી શું?'
સાધુ કહે કે “હું તમારા દુઃખમાં સહાયક થઈશ, માટે તમારે જે દુઃખ હેય તે મને કહે.” - સ્ત્રી કહે કે “મારે ઘેર ઘાવી હતી તેને અમુક શેઠ પિતાના ઘેર લઈ ગયા છે, હવે બાળકને હું કેવિ રીતે સાચવી શકીશ? તેની ચિંતા છે.
આ પ્રમાણે સાંભળી સાધુ તેની આગળ પ્રતિજ્ઞા કરે કે તમે જરા પણ ચિંતા કરશે નહિ, હું એવું કરીશ કે તે ધાત્રીને શેઠ રજા આપી દેશે અને પાછી તમારી પાસે આવી જશે. હું થોડા ટાઈમમાં જ તમને ધાત્રી પાછી લાવી આપીશ.”
પછી સાધુ તે સ્ત્રી પાસેથી તે ધાત્રીની ઉંમર, શરીરને બાંધે, સ્વભાવ, દેખાવ વગેરે જાણી લઈને, તે શેઠને ત્યાં જઈ શેઠની આગળ ધાત્રીના ગુણ-દે એવા પ્રકારે બોલે કે શેઠ પેલી ધાત્રીને છૂટી કરી દે.