________________
: ૧૯:
પૂર્વ પરિચિત ઘરમાં સાધુ ભિક્ષા માટે ગયા હાય, ત્યાં બાળકને રડતા જોઈને બાળકની માતાને કહે કે ‘આ બાળક હજી સ્તનપાન ઉપર જીવે છે, ભૂખ લાગી હશે એટલે ઇન કરે છે, માટે જલદી મને વહેારાવે, પછી બાળકને ધવરાવજો’ અથવા એમ કહે કે પહેલા બાળકને સ્તનપાન કરાવેા પછી મને વહેારાવા,’ અથવા તે કહે કે “ હમણાં બાળકને ધવરાવી લેા પછી હું વહારવા આવીશ.'
6
વળી કહે કે ‘ બાળકને સારી રીતે રાખવાથી, બુદ્ધિશાળી, નિરાગી અને દીર્ઘ આયુષ્યવાળા થાય છે, જ્યારે બાળકને સારી રીતે નહિ રાખવાથી મૂખ, રાગી અને અલ્પ આયુષ્યવાળા થાય. લાકમાં પણ કહેવત છે કે ‘પુત્રનું મુખ દુર્લભ' અર્થાત્ પુત્રની પ્રાપ્તિ થવી દુર્લભ છે માટે બીજા બધા કામ મૂકીને બાળકને સ્તનપાન કરાવેા. જો તમે સ્તનપાન નહિ કરાવા તા હું ખાળકને દૂધ પીવરાવું કે બીજા પાસે સ્તનપાન કરાવરાવું.' આ પ્રમાણે બાલીને ભિક્ષા લેવી તે ધાત્રીપિંડ કહેવાય.
આ પ્રકારનાં વચને સાંભળી, જો તે સ્ત્રી ધર્મિષ્ઠ હોય તા ખુશ થાય. અને સાધુને સારા સારા આહાર આપે, પ્રસન્ન થયેલી તે સ્ત્રી સાધુ માટે આધાકર્માદિ આહાર પણ બનાવે.
તે સ્ત્રી ધર્મની ભાવનાવાળી ન હેાય તે સાધુનાં આવા વચન સાંભળી સાધુ પ્રત્યે ગુસ્સો કરે. કદાચ બાળક માંદે પડી જાય તે સાધુની નિંદા કરે, શાસનને ઉડ્ડાહ કરે, લેાકાને કહે કે ‘તે દિવસે સાધુએ બાળકને ખેલાવ્યા હતા કે દૂધ પીવરાવ્યું હતું કે ખીજે જઇને સ્તનપાન કરાવી આવ્યા હતા એટલે મારૂં બાળક બિમાર થઈ ગયું.' અથવા તા કહે