________________
: ૧૭૨ :
તે જ ઉપાશ્રયમાં આચાર્ય મહારાજને જોતાં, મનમાં વિચારવા લાગ્યા કે “આ આચાર્ય ભાવથી પણ માસિકલ્પ સાચવતા નથી, શિથિલ સાથે રહેવું નહિ.” આમ વિચાર કરીને આચાર્ય મહારાજની સાથે ઉતર્યો નહિ પણ બહારની એાસરીમાં મુકામ કર્યો.
ત્યાર પછી આચાર્ય મહારાજને વંદના આદિ કરી સુખશાતાના સમાચાર પૂછ્યા અને કહ્યું કે “આચાર્ય શ્રી સિંહસૂરિજીએ આપની ખબર લેવા મને મોકલે છે. ” આચાર્ય મહારાજે પણ સુખશાતા જણાવી અને કહ્યું કે અહીં કે જાતની તકલીફ નથી આરાધના સારી રીતે થઈ રહી છે.”
ભિક્ષાવેળા થતાં આચાર્ય ભગવંત દત્તમુનિને સાથે લઈને ગોચરી નીકળ્યા. અંત પ્રાંત કુલમાં ભિક્ષાએ જતાં અનુકુળ ગોચરી પ્રાપ્ત નહિ થવાથી દત્તમુનિનું મુખ ઝાંખુ પડી ગયું. તેના ભાવ જાણુને આચાર્ય ભગવંતે દત્તમુનિને કેઈ ધનવાનને ઘેર ભિક્ષા માટે લઈ ગયા.
તે ઘરમાં શેઠના બાળકને વ્યંતરી વળગેલી હેવાથી, બાળક હંમેશાં રુદન કર્યા કરતું હતું. આથી આચાર્યો તે બાળકની સામું જોઈને ચપટી વગાડવા પૂર્વક બોલાવતાં કહ્યું કે “વત્સ! રુદન કર નહિ.”
આચાર્યના પ્રભાવથી તે વ્યંતરી ચાલી ગઈ. એટલે બાળક શાંત થઈ ગયે. આ જોતાં ગૃહનાયક ખુશ થઈ ગયે અને ભિક્ષામાં ઘણું લાડવા આદિ વહોરાવ્યા. દત્તમુનિ ખુશ થઈ ગયા, એટલે આચાર્યો તેને ઉપાશ્રયે મેકલી દીધે અને પિતે અંતકાંત ભિક્ષા વહેરીને ઉપાશ્રયે આવ્યા.