________________
': ૧૬૨ : ૩. આદ્રમાં શુષ્ક–આ વસ્તુમાં શુષ્ક વસ્તુ પડી હેય. એટલે ઓસામણ, પયસ, ખીર આદિમાં ચણા, વાલ વગેરે પડ્યું હોય તે પાત્રમાં હાથ નાખીને ચણ વગેરે કઢાય તેટલા કાઢી નાખવા, બાકીનું કલ્પી શકે.
૪આદ્રમાં આ—આ વસ્તુમાં આ વસ્તુ પડી હોય. એટલે ઓસામણ આદિમાં ઓસામણ આદિ પડ્યું હોય તે, જે તે દ્રવ્ય દુર્લભ હેય અર્થાત બીજું મળી શકે તેમ ન હોય અને તે વસ્તુની જરૂર હોય તે જેટલા પ્રમાણનું દેલવાળું હોય તેટલું કાઢી નાખવું, બાકીનું કલ્પી શકે.
નિર્વાહ થઈ શકે એમ ન હોય તે આ ચાર ભાંગાને ઉપયોગ કરી શકાય. જો નિર્વાહ થઈ શકે એમ હોય કે બીજે શુદ્ધ આહાર મળી શકે એમ હોય તે પાત્રમાં આવેલું બધુ પરઠવી દેવું જોઈએ.
संथरे सव्वमुझंति चउभंगो असंथरे । असढो मुज्झई जेसुं मायावी जेसु बई ॥ ५२ ॥
| ( પિં. નિ. ૪૦૦) નિર્વાહ થાય એમ હોય તે પાત્રમાં વિશેષિકેટિથી સ્પર્શ થયેલા બધા આહારને ત્યાગ કરે, નિર્વાહ ન થાય તેમ હોય તે ચાર ભાંગામાં બતાવ્યા પ્રમાણે ત્યાગ કરે. કપટ રહિત જે ત્યાગ કરે તે સાધુ શુદ્ધ રહે છે અર્થાત તેને અશુભકર્મને બંધ થતું નથી, પરંતુ જે માયાવી હોય એટલે માયા પૂર્વક ત્યાગ કર્યો હોય તે તે સાધુ કર્મબંધથી બંધાય છે. જે કિયામાં માયાવી બંધાય છે તેમાં માયા રહિત કરનારે શુદ્ધ રહે છે.