SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ દઈ, “જાઓ, ભિક્ષા લઈ આવો.” આ સ્થિતિ ઘણું સ્થળે પ્રવર્તતી રહેલ છે તે શોચનીય છે, કારણ કે હજુ જેને ગોચરી કેમ લેવી, કેટલી લેવી વગેરેનું જ્ઞાન અને અનુભવ ન મળે હોય તે નૂતન સાધુ-સાધ્વી કે આહાર લઈ આવે તે સહેજે સમજી શકાય એમ છે. આ રીતે લેવામાં આવતા આહાર આદિની પ્રવૃત્તિ જોઈને ગૃહસ્થ કેટલે ધર્મ પામે? તે સ્વયં વિચારવાનું છે. કહેવત છે કે “જે આહાર તે ઓડકાર, તે મુજબ જે શુદ્ધ આહાર વાપર્યો હોય તે સંયમનું પાલન સુનિર્મલ બને, જ્યારે દેષિત આહારથી આત્મામાં અનેક દૂષણને પ્રસંગે ઉપસ્થિત થવા સંભવ ગણાય. આ કારણથી જ ગચ્છાધિપતિ સંઘસ્થવિર વાત્સલ્યવારિધિ સિદ્ધાંતમહેદધિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબે શાસ્ત્રીય કથનાનુસાર આહારશુદ્ધિ પિતાના જીવનમાં એ પ્રકારે ઓતપ્રેત રીતે અપનાવેલી છે કે જે તેઓશ્રીની સાધના હાલના કાળમાં અનુકરણીય અને પ્રેરણાદાયક છે. તેઓશ્રી પિતાના શિષ્ય પ્રશિષ્યોને પ્રથમ શ્રી ઘનિર્યુક્તિ, શ્રી પિંડનિર્યુક્તિ, શ્રી દશવૈકાલિક, શ્રી ઉત્ત રાધ્યયન સૂત્ર આદિને અભ્યાસ કરાવે છે. (આ ગ્રંથનું જ્ઞાન પિતે આપે–અપાવે છે) અને તેને અમલ કરાવવા માટે પણ સતત કાળજી રાખી વારંવાર પ્રેરણા પણ આપે છે. . શ્રી પિંડનિર્યુક્તિ આદિ પિંડની શુદ્ધિ માટેના ગ્રંથ સંસ્કૃત ભાષામાં હોવાથી તેનું અધ્યયન બધા સાધુ-સાધ્વી કદાચ ન કરી શકે, તેથી તેમને પણ લાભ થાય એ હેતુથી સરળ ગુજરાતી ભાષામાં આ ગ્રંથ તૈયાર કરવા યત્ન કરેલ છે
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy