________________
શ્રી તીર્થકર ભગવતેએ કહ્યું છે કે “સંયમની આરાધનામાં શરીર ટકી રહે તે માટે સાધુએ નિર્દોષ આહાર ગ્રહણ કરે જોઈએ, પણ શરીરના બળ, રૂપ, કાંતિ વધારવા માટે આહાર ન લે.”
વર્તમાનમાં સાધુ-સાધ્વીજીઓમાં પિંડશુદ્ધિ અંગેનું જ્ઞાન જોઈએ તેવું સંતેષકારક જોવામાં આવતું નથી. કેટલાકે પિંડ નિયુક્તિ, પિંડવિશુદ્ધિ આદિ ગ્રંથને અભ્યાસ કરવા છતાં દોષ પ્રત્યે ઉપેક્ષાભાવ જોવામાં આવે છે, ત્યારે આશ્ચર્ય થાય છે કે “સુદુર્લભ મનુષ્ય ભવ તેમજ સંયમને પામીને શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞા (દોષિત આહાર ન લેવાય ) જાણવા છતાં શુદ્ધપિંડની ગવેષણ કરવામાં થોડું કષ્ટ સહન કરવાને બદલે દેશ પ્રત્યે ઉપેક્ષાભાવ જોવામાં આવે છે. જો કે કેટલાક મહાનુભાવ સાધુ-સાધ્વીજીએ શુદ્ધપિંડની ગવેષણ કરી, શુદ્ધ આહાર વાપરવામાં ઉદ્યમવંત છે. પણ તેમની સંખ્યા અલ્પ પ્રમાણમાં છે.
આજે અનેક આત્માએ સંસારને ત્યાગ કરી ગુરુ મહારાજના ચરણમાં સંયમજીવનને સ્વીકાર કરે છે. તેઓને ચારિત્ર-દીક્ષા આપવામાં આવે છે, પરંતુ દીક્ષા આપ્યા પછી પિતાની નિશ્રામાં આવેલા આત્માનું અધઃપતન થાય નહિ આત્માનું કલ્યાણ થાય તે માટે જે ધ્યાન આપવું જોઈએ, જ્ઞાન આપવું જોઈએ, સંયમની શુદ્ધ આરાધના માટે પ્રેરણા કરવી જોઈએ તેના બદલે તે પ્રત્યે દુર્લક્ષ સેવાતું જોવામાં આવે છે આખા સંયમને જેના ઉપર આધાર છે તે આહારની શુદ્ધિ માટેનું પુરું જ્ઞાન આપ્યા સિવાય ઝેળી પાત્રો તર૫ણી આપી