________________
: ૧૫૫ :
૨. રાજાની આજ્ઞા નહિ હોવાથી મુનિએ લીધું હોય તે રાજા સાધુને કેદ કરે, મારે કે કપડાં ઉતારી લે.
૩. હાથીના આહારમાં એટલે અંતરાય લાગે. તેથી અંતરાય જન્ય પાપ લાગે.
૪. હાથીના માવત ઉપર રાજા ગુસ્સે થાય. મારી આજ્ઞા સિવાય સાધુને કેમ આપ્યું?” તેથી કદાચ માવતને રજા આપે કે દંડ કરે, સાધુ નિમિત્તે માવતની નોકરી જાય.
૫. અદત્તાદાનને દોષ સાધુને લાગે.
૬. માવત પિતાને પિંડ પણ હાથીના દેખતા આપે તે હાથીને એમ થાય કે “મારા ભેજનમાંથી આ મુંડિયે રેજ ગ્રહણ કરે છે. એ કારણે હાથી રેષાયમાન થાય અને રસ્તામાં કઈ વખતે સાધુને જોતાં સાધુને મારી કે ઉપાશ્રય ભાંગી નાખે.
માવતની માલિકીનું હોય તે પણ હાથીના દેખતા સાધુને આહાર લેવો ક૯પે નહિ.
| ઇતિ પંચદશ અનિસૃષ્ટદોષ નિરૂપણ