SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ .: ૧૩૦ : ૩. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ રહેલા છે તે ગામમાંથી લાવેલે. ૪. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ રહ્યા છે તે સિવાયના બીજા ગામથી લાવેલો. ૫. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ જે દેશમાં રહ્યા છે તે સિવાયના બીજા દેશના બીજા ગામથી લાવેલ. ૬. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ જે દેશમાં રહ્યા છે તે દેશના બીજ ગામથી લાવેલ. , બીજા ગામથી લાવવાના પ્રકાર ૧ જળમાર્ગ–૧ પાણીમાં ઉતરીને, ૨. પાણીમાં તરીને, ૩. ત્રાપામાં બેસીને, ૪. હેડી આદિમાં બેસીને લાવેલા. જળમાર્ગે લાવવામાં અપકાયાદિ જેની વિરાધના થાય, તથા ઉતરીને આવવામાં પાણીની ઉંડાઈને ખ્યાલ ન રહે તે ડૂબી જાય, અથવા તે જલચર જીવ પકડી લે કે મગર પાણીમાં ખેંચી જાય, કાદવમાં ખેંચી જાય વગેરે. આથી કદાચ મૃત્યુ થઈ જાય. - ર જમીન મા–પગે ચાલીને, ગાડામાં બેસીને, ઘોડા, ખચ્ચર, ઊંટ, બળદ, ગધેડા આદિ ઉપર બેસીને લાવેલા. જમીનમાર્ગે આવવામાં પગમાં કાંટા વાગી જાય, કૂતરા આદિ જનાવર કરડે, ચાલવાના ગે તાવ આવી જાય, ચાર વગેરે લૂંટી લે, વનસ્પતિ આદિની વિરાધના પણ થાય.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy