________________
: ૧૨૭ :
લેકના મુખથી બને ઘરને વૃત્તાંત ક્ષેમકર મુનિના જાણવામાં આવ્યું. એટલે બધાને લાવીને પ્રતિબંધ કરતાં કહ્યું કે “વસ્તુને અદલ બદલો કરીને લાવેલો આહાર સાધુને કલ્પ નહિ. મે તે અજાણતા ગ્રહણ કર્યું હતું પણ અદલે બદલે કરીને લેવામાં કલહ આદિ દે રહેલા હોઈ શ્રી તીર્થકર ભગવંતેએ તે આહાર લેવાને નિષેધ કરેલો છે.” એમ વિસ્તાર પૂર્વક જૈનધર્મનું સ્વરૂપ સમજાવ્યું. આ સાંભળી બધા પ્રતિબંધ પામ્યા અને બધાએ દીક્ષા લીધી.
શંકા-પરિવર્તન કરીને આપવામાં આવેલ આહાર આ રીતે દીક્ષાનું કારણ બન્ય, માટે પરાવર્તિત ભિક્ષા ખાસ ગ્રહણ કરવી જોઈએ. *
સમાધાન–ક્ષેમંકર મુનિ જેવા સાધુ કેટલા હેય કે જેમણે પરિવર્તન કરવાથી થયેલો કલહ મીટા અને બધાને પ્રતિબંધ કરી દીક્ષા અપાવી. માટે પરાવર્તન કરેલ આહાર આદિ લેવે સાધુને કલ્પ નહિ. .
લેકેનર પરાવતિત–સાધુ પરસ્પર વસ્ત્રાદિનું પરિવર્તન કરે તે તદ્રવ્ય પરાવર્તન કહેવાય. એનાથી કેઈને એમ થાય કે મારું વસ્ત્ર પ્રમાણસર અને સારું હતું, જ્યારે આતે મેટું અને જીર્ણ છે, જાડું છે, કર્કશ છે, વજનદાર છે, ફાટેલું છે, મેલું છે, ઝાંખુ છે, ઠંડી રેકે નહિ એવું છે, આવું જાણુને મને આપી ગયા અને મારું સારું વસ્ત્ર લઈ ગયે.” આથી પરસ્પર કલહ થાય,