________________
: ા૨૬ : તે કેદ્રા રાંધેલા છે, તે ભાઈ મુનિને કેમ અપાય? શાલી ડાંગ રના ભાત મારે ત્યાં નથી. માટે મારી ભાભીને ઘેર કેદ્રા આપીને ભાત લઈ આવું અને મુનિને આપું.” આ પ્રમાણે વિચાર કરીને કેદ્રા લઈને બંધુમતી ભાભીના ઘેર ગઈ અને કેદ્રા આપીને ભાત લઈને આવી. તે ભાત ભાઈ મુનિને વહેરાવ્યા.
' દેવદત્ત જમવા બેઠે ત્યારે બંધુમતીએ કહ્યું કે “આજ તે કેદ્રા ખાવાના છે, દેવદત્તને ખબર નહિ કે “મારી બહેન લક્ષ્મી કેદ્રા આપીને ભાત લઈ ગઈ છે.” આથી દેવદત્ત સમજ્યા કે “આને કૃપણતાથી આજે કેદ્રા રાંધ્યા છે. આથી દેવદત્ત ગુસ્સામાં આવીને બંધુમતીને મારવા લાગે અને બલવા લાગે કે “આજ ભાત કેમ રાંધ્યા નહિ.”
બંધુમતી બેલી કે “મને મારે છે શાના? તમારી બહેન કેદ્રા મૂકીને ભાત લઈ ગઈ છે.”
આ તરફ ધનદત્ત જમવા બેઠે ત્યારે સાધુને વહેરાવતા ભાત વધેલા તે ધનદત્તની થાળીમાં પીરસ્યા. ભાત જોતાં ધનદત્તે પૂછ્યું કે “આજે ભાત ક્યાંથી?”
લક્ષમીએ કહ્યું કે “આજે મારા ભાઈ મુનિ આવેલા છે, તેમને કેદ્રા કેમ અપાય? આથી મારી ભાભીને કેદ્રા આપીને ભાત લઈ આવી હતી. સાધુને વહોરાવતા વધ્યા તે તમને પીરસ્યા છે.”
આ સાંભળતાં ધનદત્તને ગુસ્સો આવ્યા કે “આ પાપિણીએ મારી લઘુતા કરી.” અને લક્ષમીને મારવા લાગે.