________________
: ૧૨૫ :
દૃષ્ટાંત વસંતપુર નગરમાં નિલય નામના શેઠ રહેતા હતા. તેમને સુદર્શના નામે ભાર્યા હતી. ક્ષેમંકર અને દેવદત્ત નામના બે પુત્ર અને લક્ષમી નામની પુત્રી હતી.
તે જ નગરમાં બીજા તિલક નામના શેઠ હતા. તેમને સુંદરી નામની પત્નિ, ધનદત્ત નામને પુત્ર અને બંધુમતી નામની પુત્રી હતી.
લક્ષ્મી તિલક શેઠના પુત્ર ધનદત્ત સાથે પરણાવી હતી. બંધુમતી નિલય શેઠના પુત્ર દેવદત્ત સાથે પરણાવી હતી.
એક વખતે તે નગરમાં શ્રી સમિતસૂરિ નામના આચાર્ય પધારતાં તેમને ઉપદેશ સાંભળી ક્ષેમંકરે દીક્ષા લીધી.
કર્મસંગે ધનદત્ત દરિદ્ર થઈ ગયે, જ્યારે દેવદત્ત પાસે ઘણું દ્રવ્ય હતું. આ
શ્રી ક્ષેમકરમુનિ વિચરતા વિચરતા, તે નગરમાં આવ્યા. તેમને બધા સમાચાર મળ્યા એટલે વિચાર કર્યો કે “જે હું ભાઈના ઘેર જઈશ તે મારી બહેનને એમ થશે કે “ગરીબ હેવાથી ભાઈમુનિ મારા ઘેર ન આવ્યા અને ભાઈને ઘેર ગયા. આથી તેને મનને દુઃખ થશે.”
આમ વિચાર કરી અનુકંપાથી ભાઈને ત્યાં નહિ જતાં, બહેનને ત્યાં ગયા.
ભિક્ષા વખત થતાં બહેન વિચારવા લાગી કે “એક તે ભાઈ બીજા સાધુ અને ત્રીજા મહેમાન છે. જ્યારે મારા ઘેર