________________
: ૧૨૩ :
૨. તેના જેવું બીજુ આપવાનું નકકી કરીને લીધું હોય, પછી તે સાધુને તે વસ્ત્ર કરતાં પણ સારૂ વસ્ત્ર આપતાં તે સાધુને પસંદ ન પડે. હતું તેવું જ માગે અને તેથી ઝગડે આદિ થાય. માટે આ રીતે વસ્ત્રાદિ લેવું ન જોઈએ.
વસ્ત્ર આદિની ખેંચ હોય તે સાધુએ પાછું આપવાની શરતે લેવું કે આપવું નહિ, પણ એમને એમ લેવું કે આપવું. ગુરુની સેવા વગેરેમાં આળસુ સાધુને વૈયાવચ્ચ કરવા માટે વસ્ત્ર આદિ આપવાનું નક્કી કરી શકાય. એવે ટાઈમે તે વસ્ત્ર આદિ પોતે સીધુ આપવું નહિ, પણ આચાર્યને આપવું. પછી આચાર્ય આદિ વડિલ તે સાધુને આપે. જેથી કેઈ વખતે કલહ આદિ થવાને સંભવ ન રહે.
ઈતિ નવમ પ્રામિત્યદેષ નિરૂપણ