________________
: ૧૧૯ :.
એક વાર તે ગામમાં શ્રી સમુદ્રષ નામના આચાર્ય શિષ્ય સાથે પધાર્યા. બધા ધર્મ સાંભળતા, તેમના ઉપદેશથી સમ્મત નામના પુત્રે આચાર્ય ભગવંત પાસે દીક્ષા લીધી.
સમ્મત સાધુ ગીતાર્થ બન્યા. પિતાના કુટુંબનું કઈ દીક્ષા લે તે સારું, એ જ ખરે ઉપકાર છે. આ ભાવનાથી આચાર્ય ભગવંતની આજ્ઞા લઈને પોતાના ગામમાં આવ્યા. ત્યાં કોઈને પૂછયું કે “દેવશર્મા કુટુંબનું કઈ છે ખરૂં?”
તે માણસે કહ્યું કે “તેમના ઘરના બધા ગુજરી ગયા છે, માત્ર સમ્મતિ નામની વિધવા પુત્રી અમુક સ્થાને રહે છે.”
સાધુ બહેનના ઘેર આવ્યા. ભાઈ મુનિને આવેલા જોઈ બહેનને ખૂબ આનંદ થયે અને ઉતરવાનું સ્થાન આપ્યું. પછી સાધુ નિમિત્તે રસાઈ કરવા જતી હતી ત્યાં મુનિએ નિષેધ કર્યો કે “અમારા માટે કરેલું અને કલ્પ નહિ.”
સમ્મતિ પાસે પૈસા નહિ હોવાથી શિવદેવ શેઠની દુકાનેથી દિવસે દિવસે ડબલ આપવાની કબુલાત કરી બે પલી તેલ લાવી સાધુને વહરાવ્યું. ભાઈ મુનિએ તે નિર્દોષ ધારીને ગ્રહણ કર્યું.
- સાધુ પાસે ધર્મ સાંભળવા વગેરેના કારણે બીજાનું કામ કરવા જઈ શકી નહિ. બીજે દિવસે ભાઈ મુનિએ વિહાર કર્યો. એટલે તેમને વળાવા ગઈ અને ઘેર આવતા તેમના વિયેગના દુઃખે બીજે દિવસે પણ પાણી ભરવા વગેરેનું બીજાનું કામ થઈ શક્યું નહિ. એટલે ચાર પેલી જેટલું તેલ ચઢયું. ત્રીજે દિવસે આઠ પલી થયું. તેટલું એક દિવસમાં કામ