________________
૯ પ્રામિત્યઢાષ
पामिपि य दुविहं लोइय लोगुत्तरं समासेण । लोइय सज्झिलगाइ लोगुत्तर वत्थमाईसु ॥ ३८ ॥ (પિ. નિ. ૩૧૬)
પ્રામિત્ય એટલે સાધુ માટે ઉધારે લાવીને આપવું. ઉધાર લાવવાનું એ પ્રકારે. ૧ લૌકિક અને ૨ લેાકેાત્તર. લૌકિકમાં બહેન આદિનું દૃષ્ટાંત અને લેાકેાત્તરમાં સાધુ સાધુઓમાં વસ્ત્ર વગેરેનું.
લૌકિક દૃષ્ટાંત
કાશલ દેશના કોઈ એક ગામમાં દેવરાજ નામના કુટુંબી રહેતા હતા. તેને સારિકા નામની પત્ની હતી. તથા સમ્મત આદિ ઘણા પુત્ર અને સમ્મતિ આદિ ઘણી પુત્રીઓ હતી. બધાએ જૈનધર્મી હતા.
તે ગામમાં શિવદેવ નામના શેઠ હતા. તેમને શિવા નામની ભાર્યા હતી. તે શેઠ દુકાને બધી વસ્તુઓ રાખતા અને વેપાર
કરતા હતા.