________________
: ૧૩ : જણાવનાર શ્રી દશવકાલિક સૂત્રની સુંદર રચના કરેલી છે. તેના પાંચમા પિંડેષણ નામના અધ્યયનને અનુલક્ષીને ચૌદ પૂર્વધર શ્રુતકેવલી ભગવંત શ્રી ભદ્રબાહુસ્વામિજીએ ૬૭૧ પાકૃત ગાથાબદ્ધ શ્રી પિંડનિર્યુક્તિ ગ્રંથની રચના કરેલી છે. જે પિંડનિર્યુક્તિ ગ્રંથ હાલના પીસ્તાલીસ આગમ ગ્રંથમાં મૂલ આગમગ્રંથ તરીકે સ્થાન પામેલ છે અને પાંચમા આરાના છેડા પર્યત જ્યાં સુધી સાધુધર્મ રહેશે ત્યાં સુધી આ ગ્રંથ મહત્ત્વનું સ્થાન મેળવી રહેનાર છે.
આ પવિત્ર આગમગ્રંથ ઉપર પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મલયગિરિજી મહારાજે સંસ્કૃત ભાષામાં ૭૦૦૦ શ્લેક પ્રમાણ ટીકાની રચના કરેલી છે, તથા શ્રી પિંડનિર્યુક્તિ” ગ્રંથના દેહનરૂપ શ્રી જિનવલ્લભગણિએ “શ્રી પિંડવિશુદ્ધિ' નામના ગ્રંથની પાકૃત ૧૦૩ ગાથાની રચના કરેલી છે, તેના ઉપર સં. ૧૧૭૬ માં શ્રી યદેવસૂરિજી મહારાજે સંસ્કૃત ભાષામાં ૨૮૦૦ કલેક પ્રમાણ લઘુ ટકા તથા સં. ૧૧૭૮ માં શ્રી ચંદ્રસૂરિજી મહારાજે સંસ્કૃત ભાષામાં ૪૪૦૦ શ્લોક પ્રમાણ ટિકા, સંવત ૧૨૫ માં શ્રી ઉદયસિંહસૂરિજી મહારાજે સંસ્કૃત ભાષામાં ૭૦૩ કલોક પ્રમાણ દીપિકાની રચના કરેલી છે, ઉપસંત શ્રી અજિતદેવસૂરિજી મહારાજે દીપિકા, શ્રી સંગદેવ ગણિએ બાલાવબોધ, તથા અજ્ઞાતકર્તકની એક અવસૂરિ, એમ અનેક રચનાઓ થએલી છે. પિંડવિશુદ્ધિને માત્ર ગાથાઓ સાથેને ભાવાનુવાદ ગુજરાતી ભાષામાં પૂજ્ય મુનિરાજ શ્રી માનવિજયજી મહારાજે (હાલ-પંન્યાસ ) સંવત ૧૯ માં લખેલ પ્રસિદ્ધ થયેલ છે. આ રીતે આ ગ્રંથ પૂજ્ય સાધુસાધ્વીજીઓ માટે એક પરમ આલંબનરૂપ થઈ રહ્યો છે.