________________
: ૧૨ : ધનામાં સહાયક હેવાથી તેને ટકાવવું જોઈએ, તે શરીરને ટકાવવા માટે શ્રી જિનેશ્વર ભગવતેએ પાપ વગરને-નિર્દોષ આહાર ગ્રહણ કરવાનું જણાવ્યું છે. જે દોષરહિત આહારાદિથી શરીરનું પેષણ કરવામાં ન આવે અને કારણ વગર પણ દોષવાળા આહારથી શરીરનું પોષણ કરવામાં આવે તો તે શરીર સમ્યફચારિત્રના પાલનમાં સાધનભૂત થવાને બદલે આત્માને દુર્ગતિમાં લઈ જવાના કારણભૂત બની જાય. માટે જ્ઞાની ભગવતેએ સાધુને છ કારણે એ દોષરહિત આહાર લેવાનું ફરમાવ્યું છે.
મુનિએ આરંભને ત્યાગ કરેલ હોવાથી પિતે આરંભ કરે નહિ, આરંભ કરાવે નહિ અને આરંભ કરનારની અનુમેદના પણ કરે નહિ. એટલે શરીરને ટકાવવા અને ચારિત્રની આરાધના કરવા માટે ગૃહસ્થ પાસેથી નિર્દોષ આહાર મેળવ અનિવાર્ય છે. કયે આહાર કઈ રીતે નિર્દોષ ગણાય તેનું નિરૂપણ અનેક ગ્રંથમાં સુપ્રસિદ્ધ થયેલ છે.
શ્રી ગણધર ભગવંતએ દ્વાદશાંગીની રચના કરી છે. તેમાં બારમું અંગ દષ્ટિવાદ. તે દષ્ટિવાદના પાંચ અંગો છે. ૧ પરિકમ સાત પ્રકારે, ૨ સૂત્ર બાવીસ પ્રકારે, ૩ પૂર્વગત ચૌદ પ્રકારે, ૪ અનુયે બે પ્રકારે અને ૫ ચૂલિકા ત્રીસ પ્રકારે છે. ત્રીજુ અંગ જે પૂર્વગત તેના ચૌદ પ્રકારે છે. તેમાંના નવમા પ્રત્યાખ્યાન પ્રવાદ નામના પૂર્વમાં નિર્દોષ આહાર દોષિત આહાર વગેરેનું વિશદ રીતે વર્ણન કરેલું છે. તે નવમાં પૂર્વમાંથી ચૌદ પૂર્વને ધારણ કરનાર શ્રુતકેવળી શ્રી શય્યભવસૂરિજી મહારાજે પિતાના પુત્રમુનિ શ્રી મનકમુનિના કલ્યાણ અથે સાધુ આચારને