________________
: ૧૦૬ :
જે દ્રવ્યને ફેરફાર થઈ શકે તે વિકારી. દૂધ, શેરડી વગેરે તથા ભાત અને દહીં વગેરે, દૂધમાંથી દહીં, છાસ, માખણ, ઘી વગેરે થાય છે. શેરડીમાંથી રસ, સાકર, ખાંડ, ગોળ વગેરે બને છે. - જે દ્રવ્યમાં ફેરફાર થઈ શકે નહિ તે અવિકારી. ઘી, ગોળ વગેરે.
૩ પરંપર સ્થાપના-વિકારી દ્રવ્ય, દૂધ, દહીં, છાશ, વગેરે સાધુને આપવા માટે રાખી મૂકે.
૪ અનંતર સ્થાપના–અવિકારી દ્રવ્ય, ઘી, ગોળ વગેરે સાધુને આપવા માટે રાખી મૂકે.
૫ ચિરકાલ સ્થાપના–ઘી વગેરે પદાર્થ, જે તેના સ્વરૂપમાં ફેરફાર થયા વગર જ્યાં સુધી રહી શકે ત્યાં સુધી સાધુને આપવા માટે રાખી મૂકે. આ ચિરકાલ સ્થાપના ઉત્કૃષ્ટ દેશના પૂર્વકેટી વર્ષ સુધીની હેય.
દૃષ્ટાંત આઠ વર્ષની ઉંમરના અને ક્રેડપૂર્વ વર્ષના આયુષ્યવાળા કેઈ સાધુએ કેઈને ઘેર થી આદિ કઈ વસ્તુ માગી. વહેરાવનારે કહ્યું કે “ડીવાર પછી આપીશ.” સાધુને બીજા કેઈ ઘેરથી ઘી આદિ જરૂર હતી તે વસ્તુ મળી ગઈ, એટલે પ્રથમના ઘેર તેઓ પાછા આવ્યા નહિ.
ડીવાર પછી આપીશ” એમ કહેનારને એમ થયું કે મેં આપવાનું કહ્યું છે, માટે જ્યાં સુધી ન આપું ત્યાં સુધી મારે માથે સાધુનું દેવું ગણાય. આથી તે ઘી આદિ સાધુને