SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ આ રસેઈમાંથી ભિક્ષાચરેને આપવા માટે આટલી વસ્તુ જુદી કરે.” આ પ્રમાણે બેલતા સાંભળવાથી, ભીંત ઉપરના લીટા વગેરે ઉપરથી છદ્મસ્થ સાધુ-આ આહાર એ ઘઔદેશિક છે.” ઈત્યાદિ જાણી શકે અને તેવી ભિક્ષા ગ્રહણ કરે નહિ. અહીં વૃદ્ધ સંપ્રદાયથી એટલું ધ્યાન રાખે કે– ઉદ્દેશ પ્રમાણે આપવાની ભિક્ષા અપાઈ ગયા પછી અથવા ઉદ્દેશ અનુસાર જુદી કાઢી લીધી હોય તે સિવાયની બાકી રહેલી રસેઈમાંથી સાધુને વહેરવું કલ્પી શકે, કેમકે તે શુદ્ધ છે. ઉપગવાળે જ સાધુ આહાર શુદ્ધ છે કે અશુદ્ધ, તે જાણી શકે છે, પણ ઉપગ વગરને સાધુ જાણી શકતા નથી. - સાધુએ ગોચરી વખતે ઉપયોગ કેવી રાખવું જોઈએ? તે શાસ્ત્રકાર કહે છે – सहाइएसु साहू मुच्छं न करेज गोयरगओ य । एसणजुत्तो होज्जा गोणीवच्छो गवत्ति व्व ॥ २९ ॥ | (પિં. નિ. ૨૨૪) ગોચરી માટે ગયેલા સાધુએ શબ્દ-રૂપ-રસ વગેરેમાં મૂરછ આસક્તિ કરવી ન જોઈએ. પરંતુ ઉદ્દગમાદિ દોષની શુદ્ધિ માટે, તત્પર રહેવું. ગાયને વાછરડે જેમ પોતાના ખાણા ઉપર લક્ષ રાખે તેમ સાધુએ આહારની શુદ્ધિ ઉપર લક્ષ રાખવું. આ સંબંધી દષ્ટાંત બતાવે છે–
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy