________________
આ પ્રમાણે સાંભળી તે સાધુ ગમ્બર ગામ જવા તૈયાર થયો. ત્યાં પણ તેને શંકા થઈ કે “આ રસ્તે કેઈ શ્રાવકે સાધુ માટે બનાવ્યા હોય તે?” એ શંકાથી રસ્તે મૂકીને ઉંધા માર્ગે ચાલવા લાગ્યા. તેથી પગમાં કાંટા કાંકરા વાગ્યા, કૂતરા વગેરેએ બચકાં ભર્યા, સૂર્યને તાપ પણ વધવા લાગે. આધાકર્મની શંકાથી વૃક્ષની છાયામાં પણ બેસતું નથી. આથી તાપ ખૂબ લાગવાથી તે સાધુને મૂર્છા આવી ગઈ. ખૂબ ખૂબ હેરાન થઈ ગયે. •
આ પ્રમાણે કરવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના થઈ શકતી નથી. આ અવિધિ પૃચ્છા છે, એ રીતે પૂછવું ન જોઈએ, પરંતુ વિધિપૂર્વક પૂછવું તે બતાવે છે–
તે દેશમાં વસ્તુને અભાવ હોય અને ત્યાં તે ઘણી જોવામાં આવે, ઘરમાં માણસે થોડા હોય અને રસોઈ વધારે દેખાય, ઘણે આગ્રહ કરતા હોય તે ત્યાં પૂછવું કે આ વસ્તુ કેના માટે અને તેના નિમિત્તે બનાવી છે?
તે દેશમાં તે વસ્તુ ઘણુ થતી હોય, તે ત્યાં પૂછવાની જરૂર નથી. પરંતુ ઘરમાં માણસે એછા હોય અને આગ્રહ કરે તે પૂછવું. અનાદર એટલે બહુ આગ્રહ ન હોય અને ઘરમાં માણસો ઘણું હોય તે પૂછવાની જરૂર નથી. કેમકે આધાકમ હેય તે આગ્રહ કરે.
* સાધુ માટે વૃક્ષ વાવેલું હોય તો તે વૃક્ષના ફળ આદિ સાધુને કલ્પે નહિ, પરંતુ સાધુ માટે વૃક્ષ વાવેલું હોય તેથી તેની છાયા આધાકર્મી બનતી નથી. પણ આ સાધુએ તે વૃક્ષની છાયાને પણ આધાકર્મો માની તેની છાયામાં બેઠે નહિ,