SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ : ૭ : રાજા સૂર્યોદય ઉદ્યાનમાં જવાના છે, તે ત્યાં જઈને જે છુપાઈ ' જઈએ તે રાણીઓ બરાબર જોઈ શકાય.” આ વિચાર કરી કેટલાક લોકો ઝાડ વગેરેના સ્થાને કઈ દેખી ન જાય તે રીતે છુપાઈ ગયા. તપાસ કરતાં ઉદ્યાનપાલકે એ છુપાઈ ગયેલા લોકેને પકડી લીધા અને દેરડાથી બાંધી લીધા. જે લોકો ચંદ્રોદય ઉદ્યાનમાં ગયા હતા તે લેકે રાણીએ સાથે ક્રિડા કરતા રાજાને ઈચ્છા મુજબ જેવા લાગ્યા. તેઓને પણ રાજાના માણસોએ પકડ્યાં. બીજે દિવસે પકડાયેલા લેકેને રાજા પાસે હાજર કરવામાં આવ્યા અને હકીકત જણાવી. સૂર્યોદય ઉદ્યાનમાંથી જે લેકે પકડાયા હતા તેઓએ આજ્ઞાભંગ કરેલ હોવાથી રાજાએ તેમને મોતની સજા કરી અને ચંદ્રોદય ઉદ્યાનમાંથી પકડાયેલા હતા તેમણે આજ્ઞાનું પાલન કરેલું હેવાથી છેડી મૂક્યાં. - આજ્ઞાને ભંગ કરનારને જેમ રાજાએ મતની સજા કરી અને આજ્ઞાનું પાલન કરનારને મુક્ત કર્યો, તેમ આધાકમ આહાર વાપરવાની બુદ્ધિવાળા શુદ્ધ આહાર વાપરવા છતાં આજ્ઞા ભંગના દોષથી દંડાય છે અને શુદ્ધ આહારની ગવેષણ કરનારને કદાચ આધાકમી આહાર વાપરવામાં આવી જાય તે પણ તેઓ દંડાતા નથી કેમકે તેઓએ શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞાનું પાલન કરેલું છે.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy