SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Go જીવસમ રસ આધાર એટલે ક્ષેત્ર, ક્ષેત્રાશ્રયી એક જ ક્ષેત્રમાં તેત્રીસસાગરેપમ સુધી અનુત્તર દેવનું જે સ્થિર અવધિજ્ઞાન તે આધારથી અવસ્થિત કહેવાય. ઉપગથી એક દ્રવ્યમાં ઉત્કૃષ્ટથી અંતમુહુર્ત સુધી અવધિજ્ઞાનને ઉપગ હોય,પર્યાયમાં સાતથી આઠ સમય સુધી, બીજા આચાર્યો પર્યાયમાં સાત સમય અને ગુણમાં આઠ સમય શુકલવર્ણ વગેરે સહવત એ ગુણ કહેવાય અને જુના પુરાણું વગેરે કમવત પર્યાય કહેવાય. દ્રવ્યગુણ અને પર્યાય એકબીજાથી સૂક્ષ્મ સૂક્ષમ હોવાથી થોડો થોડો ઉપયોગ હોય છે. લબ્ધિથી અવધિજ્ઞાનની સ્થિતિ, ઉત્પન્ન થયેલ ક્ષેત્ર કે અન્ય ક્ષેત્રમાં ઉત્કૃષ્ટથી ૬૬ સાગરેપમ સુધી હોય છે. અનવસ્થિત અવધિજ્ઞાન આધારથો અનુત્તર દેવેની જેમ સ્થિર ન રહેતા અશ્રુત દેવ વગેરેની જેમ બીજાબીજા ક્ષેત્રમાં અવધિજ્ઞાન જાય તે- દ્રવ્યપર્યામાં એકદમ જલ્દીથી ઉપગ સંચારણ થાય તે ઉપગથી અનવસ્થિત. લબ્ધિથી ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્ણ કર્યા વગર જે અવધિજ્ઞાન જાય અને પાછું ઉત્પન્ન થાય તે સર્વ અવધિજ્ઞાન અનવસ્થિત કહેવાય. હીયમાન એટલે ઘટતું જાય છે. તે હીયમાનતા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને પર્યાયથી ચાર પ્રકારે છે. ક્ષેત્રકાળ આશ્રયી જે અવધિજ્ઞાન પ્રથમ ઘણું ક્ષેત્રકાળ વિષયવાળું ઉત્પન્ન થયું હોય તે પછી અસંખ્યાત ભાગહાની, સંખ્યાને ભાગહાની, સંખ્યાન ગુણહાની, અસંખ્યાત ગુણહાની પૂર્વક ઓછું થાય છે. પણ અનંતભાગ હાની કે અનંતગુણહાની હોતી નથી. કારણ કે ક્ષેત્ર કાળાવધિ જ્ઞાનને અનંતતાને વિષય હેતું નથી. દ્રવ્યાશ્રયી અવધિજ્ઞાન ઘણુ વિષય પણે ઉત્પન્ન થાય પછી, અનંતભાગહાની અથવા અનંત ગુણહાની પૂર્વક ઓછું થાય છે. કારણકે અવધિજ્ઞાન વડે અનંત દ્રવ્ય દેખાય છે. જે પ્રકારે પર્યાયમાં છ પ્રકારની હાની છે તેમ દ્રવ્યમાં નથી તેવા પ્રકારના સ્વભાવથી. પર્યાને આશ્રયી ઘણા વિષયરૂપે ઉત્પન્ન થયેલ અવધિજ્ઞાન અનંતભાગ, અસંખ્યાતભાગ સંખ્યાતભાગ, સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ અને અનંતગુણ હાની પૂર્વક એ થાય છે. અનંતા દ્રવ્યમાં અનંતા પર્યાય અવધિજ્ઞાત વડે જણાય છે. હોમાનના પ્રતિપક્ષીરૂપ વર્ધમાન અવધિજ્ઞાન છે. તેમાં ક્ષેત્ર કાળ દ્રવ્ય અને પર્યાની વૃદ્ધિ રૂ૫ વર્ધમાનતા જાણવી. તે આ પ્રમાણે ક્ષેત્રકાળ આશ્રયો ઉત્પન્ન થયેલું અવધિજ્ઞાને ઘેડા વિષય રૂપે ઉત્પન્ન થયું હોય, પછી અસંખ્યાતભાગ, સંખ્યાતભાગ, અસંખ્યાતગુણ, સંખ્યાતગુણ વૃદ્ધિપૂર્વક વધતું જાય તે વર્ધમાન હીયમાન અવધિજ્ઞાનની જેમ સર્વ બાબતે વર્ધમાન અવધિજ્ઞાનમાં જાણવી પણ હાનીના સ્થાને વૃદ્ધિ કહેવી બાકીનું બધું ઉપર પ્રમાણે જાણવું. ૧ મળનાને એમ વિભક્તિ ને વ્યત્યયથી થયું છે. મને પર્યવજ્ઞાનના જુમતિ, અને વિપુલમતિ એમ બે ભેદે છે. મન મતિઃ એટલે વિષયની જાણકારી ઋજુ એટલે થોડા જ વિશેષ વિષયરૂપ મુગ્ધમતિ છે જેની તે જુમતિ, વિપુલ એટલે ઘણા જ વિશેષ વિષયરૂપ પટુમતિ છે જેની તે વિપુલમતિ. ક્ષેત્રથીઃ ઋજુમતિને અઢી આગળ હીન એ મનુષ્યલક પ્રમાણ ક્ષેત્રનો વિષય છે. વિપુલમતિને સંપૂર્ણ મનુષ્યલકપ્રમાણ વિશુદ્ધતર વિષય છે.
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy