SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૭ વેદકષાય नेरइया नपुंसा तिरिक्ख मणुआ तिवेयया हुंति । देवा य इत्थि पुरिसा गेविज्जाई पुरिसवेया ॥५९॥ ગાથા : નારકોને નપુંસક, તિય અને મનુષ્યોને ત્રણ વેદ અને દેવોને શ્રી અને પુરૂષદ તથા પ્રવેયક વગેરે દેવોને પુરૂષવેદ હોય છે. (૫૯) , - ટકાથી વગેરેના ભેગની ઈચ્છાને ઉત્પન્ન કરવા વડે જે અનુભવાય તે વેદ. તે ચારિત્ર મહનિયમાં રહેલા કર્મ પુદ્ગલ વિશેષ છે તેના ત્રણ ભેદ છે. ૧, સ્ત્રીની પુરૂષ તરફની જે ભોગ ઇચ્છા તે ઉત્પન્ન કરનાર વેદ તે સ્ત્રીવેદ. ૨ પુરૂષની સ્ત્રી તરફની જે ભગ ઈચ્છા ઉત્પન્ન કરનાર વેદ તે પુરૂષદ. ૩ નપુંસકની સ્ત્રી તથા પુરુષ તરફની ભગઈચ્છા ઉત્પન્ન કરનાર વેદ તે નપુંસકવેદ. આ ત્રણે પ્રકારને વેદ આધાર વગર એટલે નિરાશ્રયી હેતે નથી માટે તેની વિચારણ નરક વગેરે દ્વારથી કરે છે. નારકે માં નપુંસક વેદ જ હોય છે, કારણકે તેને અતિસંકિલષ્ટ અધ્યવસાય હોવાથી બાકીના બે વેદનો અસંભવ છે. તિર્યંચ અને મનુષ્યોને ત્રણ વેદ હોય છે, તેમાં એકેંદ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય, મુશ્કેિમ પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યમાં ફક્ત નપુંસક વેદ જ હોય છે. અને ગર્લજ તિર્યંચે તથા મનુષ્યને ત્રણે વેદ હોય છે. ભવનપતિ, વ્યંતર, જોતિષ્ક અને સૌધર્મઇશાન રૂપ બે દેવક સુધીના દેવેને ઉ૫પાત(જન્મ)ને આશ્રયી વેદ અને પુરૂષદ હોય છે, કેમકે, દેવ અને દેવીઓની . ઉત્પત્તિ આમાં જ થાય છે. સનત્કુમાર વગેરે ઉપરના ડેમાં ઉપપાત(જન્મ)થી પુરૂષદ જ હોય છે, ત્યાં દેવીને ઉપપાત (જન્મ) હોતે નથી. સૌધર્મેશાન દેવીએ અગ્રુતદેવલોકના દેવને ભાગમાં આવે છે માટે સંગ આશ્રયી બાર દેવલોક આશ્રયી સ્ત્રી અને પુરૂષદ હોય છે. પ્રવેયક અને અનુત્તરવાસી દેવેને સ્ત્રી સંગને અભાવ હેવાથી બિલકુલ પુરૂષદવાળા જ હોય છે. (૫૯) સ્વરૂપથી અને આશ્રયથી એમ બે પ્રકારે વેદ કહ્યા. હવે તેમાં ગુણસ્થાનક રૂપ જીવસમાસોનો વિચાર કરે છે.
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy