SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ જીવસમાસ ગાથાથ - નસે, સાંધા, પવ જેના જણાય નહિં, સમાનભંગ તંતુલક્ષણ હીરક જેમાં ન જણાય, કાપવા છતાં પણ ફરી ઉગે તે છિન્નરુહ, આ સાધારણ વનસ્પતિકાયના ભેદ છે. એનાથી વિપરિત પ્રત્યેક વનસ્પતિના ભેદે છે. (૩૭) ટીકાર્થઃ જે વનસ્પતિના પાંદડાની, કંદની, દાંડી, ડાળી વગેરેની નસે ન દેખાય તે ગૂઢસિર કહેવાય. જો સાંધા ન દેખાય તે ગૂઢસંધી કહેવાય. અને પર્વ એટલે ગાંઠા ન જણાય તે ગૂઢપવું કહેવાય. જે વનસ્પતિની શાખા વગેરે ભાંગવાથી અને પાંદડા વગેરે તેડવાથી સમાન એટલે ખરબચડે નહિં એવી રીતે એકસરખા ભાગે તે સમભંગ, હીરક એટલે વનસ્પતિમાં રહેલા રેસા, તે જેમાં ન જણાય તે અહીરક કહેવાય. ઘરે લાવેલી, સુકાઈ ગયેલી હેવા છતાં પણ, કાપી નાખી હોવા છતાં પણ, પાણી વગેરે સાધન મળવાથી ગુડુચી (ગળો) વગેરેની જેમ ફરી ઊગે તે છિન્નરુડ કહેવાય છે. આ સર્વ લક્ષણોથી યુક્ત, કહેલ શૈવાલાદિ ભેદે સિવાય બીજી પણ વનસ્પતિઓ અનંતા ના સ્થાનરૂપ સાધારણ વનસ્પતિ રૂપે સ્વીકારવી. એનાથી જે વિપરીત હોય તે પ્રત્યેક વનસ્પતિકાય જાણવી. _ 'चक्कागं भज्जमाणस्स गंठी चुप्णघणो भवे । पुढनी सरिसेण भेएण अणंतजीनं वियाणाहि' ॥१॥ કુંભારના ચક્રની જેમ સમાન બરાબર ગોળ તથા જે ગાંઠ વગેરે ભાંગવાથી સફેદ ચૂર્ણ જેમાંથી ઊડે તે વનસ્પતિ અનંત વનસ્પતિ જાણવી. કેની જેમ સમાન ભાગે ? તે કેદાર (સુકાયેલે કાદવ) વગેરેની ઉપર રહેલ પિપડા અથવા ચીકણી ખડીની બનાવેલી વાટ વગેરેને ભાંગવાથી સમાન ભેદ થાય છે. એ પ્રમાણે સાધારણ વનસ્પતિકાયના પણ ચક્રાકાર સમાન ભેદ થાય છે.....(૩૭) એ પ્રમાણે પાંચે પૃથ્વીકાય વગેરે સ્થાવરો કહ્યા. હવે ત્રસકાયનું નિરૂપણ કરે છે. दुविहा तसा य वुत्ता वियला सयलिंदिया मुणेयव्वा । वितियचऊरिंदिया वियला सेसा सयलिदिया नेया ॥३८॥ ગાથાથ : ત્રસ બે પ્રકારે કહયા છે અને તે વિકલેન્દ્રિય, સકલેન્દ્રિય એમ બે ભેદે જાણવા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચેરિન્દ્રિય વિકલેન્દ્રિય છે બાકીના સકલેન્દ્રિય જાણવા (૩૮) ટીકાથ: ઠંડી, ગરમી અને પવનની ઇચ્છા પૂર્વક જે જીવે અત્તિ નિત તિ 7: ચાલે તે ત્રસ કહેવાય છે. તે છે વિકલેન્દ્રિય અને સકલેન્દ્રિય એમ બે પ્રકારે કહ્યા છે. એમ જાણવું. વિકલૈંદ્રિય એટલે પાંચ ઈદ્રિયોની સંખ્યાની અપેક્ષાએ અસંપૂર્ણ એટલે ઓછી ઈન્દ્રિયવાળા છે કે જે બેઈદ્રિય, તેઈદ્રિય અને ચૌરિંદ્રિય રૂપે છે તે નિકલે દ્રિય કહેવાય, ત્રસકાયમાં જે બાકી રહ્યા તેઓ સંપૂર્ણ પાંચે ઈદ્રિયવાબ હોવાથી તેઓ સકતેંદ્રિય જાણવા. (૩૮)
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy