________________
૧૮
જીવસમાસ ટીકાથઃ ગાથાર્થમાં આવી જાય છે. હવે તે પૃથ્વીઓના જ સાર્થક જે બીજા નામે છે તે કહે છે. रयणप्पभा य सकर वालुय पंकप्पभा य धूमपहा।
होई तम (होइ तमा) तमा विय पुढवीणं नामगोत्ताई ॥१३॥ ગાથાર્થ રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પકભા, ઘૂમપ્રભા, તમ પ્રભા,
તમતમપ્રભા આ પ્રમાણે સાત પૃથ્વીઓના નામગાત્રો જાણવા. (૧૩) ટીકાર્ય જ્યાં આગળ ગોમેદ, રુચક, અંક, લેહિતાક્ષ, ડૂર્ય વગેરે રત્નોને જે પૃથ્વમાં ઘણે સંભવ છે. પ્રાયઃ કરીને નરક છેડીને રત્નની પ્રભા કે તેજ જે પૃથ્વીમાં છે તે રત્નપ્રભા.
જે પૃથ્વીમાં પથરાના ટુકડાઓના જેવી પ્રભા એટલે કે સ્વરૂપે હોય તે પૃથ્વી શર્કરા પ્રભા. પ્રભા શબ્દ દરેકની સાથે જોડવે.
જે પૃથ્વીમાં કઠીન રેતીના કાંકરા ૫ પ્રભા એટલે સ્વરૂપે રહેવું છે જેનું તે વાલુકાપ્રભા. પંક એટલે કાદવ સમાન દ્રવ્ય વડે જેવી પ્રભા એટલે અવસ્થિતિ છે જે પૃથ્વીમાં તે પંકપ્રભા ધૂમાડા જેવા દળે, જેમાં ધૂમાડા જેવું જણાય છે એવી જે પૃથ્વી તે ધૂમપ્રભા કાળ દ્રવ્ય વડે અંધકાર સમાન જેમાં જણાય તે તમપ્રભા. બીજાએ આ પૃથ્વીને તમા આ નામથી ઓળખે છે. અને અંધકાર રુપ દ્રવ્યથી યુક્ત માને છે. '
અત્યંત અંધકાર સ્વરુપ પ્રભા જે પૃથ્વીમાં છે તે તમ તમ પ્રભાઃ અતિ કૃષ્ણ દ્રવ્ય યુક્ત એમ સમજવું. બીજાઓ આ પૃથ્વીને તમસ્તમા નામથી ઓળખે છે. અતિશય અંધકાર રુપ દ્રવ્યથી યુક્ત હેવાથી તમસ્તમા, આ ધર્માદિ પૃથ્વઓના બીજા પર્યાયમાં નમનાત-અનુવર્તનાત એટલે હંમેશા અનુવર્તન હોવાથી નામે અને નો. એટલે પિતાના નામે જણાવનાર શબ્દના એટલે યથાર્થ અર્થને પ્રાપ્ત કરવા વડે પાલન કરતા હોવાથી ગોત્ર એટલે રત્નપ્રભા વગેરે નામે વડે સત્ય અર્થ જણાતે હેવાથી તે નામે નારકના નામગાત્ર કહેવાય છે. (૧૩)
નરકગતિ કહી. હવે તિર્યંચગતિ કહે છે. तिरियगईया पंचिंदिया य पज्जताया तिरिक्खीओ।
तिरिया य अपज्जता मणुया य पज्जत ईयरे य ॥१४॥ ગાથાથ : તિર્યંચગતિમાં પંચયિ વગેરે પર્યાપ્તા તથા તિય ચિણીઓ અને તિ
પર્યાપ્તા અપર્યાપ્તા કહેવાય છે, મનુષ્ય તો પર્યાપ્તા તેમજ અપર્યાપ્ત હોય છે. (૧૪)