SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ વિસમાય હવે આઠ પ્રકારના અનુયાગદ્વારની પ્રરૂપણ કરે છે. संतपयपर्वणया दव्वपमाणं च खित्तफुसणा य । कालंतरं च भावो अप्पा बहुयं च दाराई ॥५॥ ગાથા : (૧) સત્પદ પ્રરૂપણા (૨) દ્રવ્ય પ્રમાણ (૩) ક્ષેત્ર ( સ્પર્શના (૫) કાળ (૯) અંતર (૭) ભાવ (૮) અપમહુવદ્ધારે જાણવા (૫) . કાર્થ (૧) સત એજ પદ છે જેનું તે સત્પદ, જીવાદિ પદાર્થોનું દેવું તે તાત્પર્યાથે છે. તે સત્પદની ગતિ વગેરે માગણા દ્વારમાં પ્રરૂપણ કરવી. જેમકે નરકગતિ વગેરેમાં શું મિથ્યાષ્ટિ વગેરે જીવ હોય છે ? એ પ્રમાણે. (૨) દ્રવ્યપ્રમાણુ વિચારવું. જેમકે નક વગેરે ગતિમાં કેટલા. જીવદ્રવ્ય પ્રાપ્ત થાય ? (૩) ક્ષેત્રવિચારણ-જેમકે ક જીવ કેટલા ક્ષેત્રને અવગાહીને રહે છે ? (૪) સ્પર્શના જીવ કેટલા ક્ષેત્રને સ્પશીને રહે. • છે? (૫) કયા જીવને કેટલે સ્થિતિકાળ હોય છે? (૬) તથા નારક વગેરે હંમેશા ઉત્પન્ન થતા જીને કેટલે અંતરકાળ પણ હોય છે? તે અંતરકાળ કયાં આગળ કેટલા પ્રમાણમાં હોય છે. તે સ્વરૂપ જણાવવું તે અંતરદ્વાર. અહિં આગળ આવશ્યક વગેરે સૂત્રોમાં કયા જીવ કેના કેટલાયે ભાગે છે એવા સ્વરૂપવાળું ભાગદ્વાર પણ કહ્યું છે તે અહિં અલ્પબહુવૈદ્ધારમાં કહ્યું હોવાથી અથવા તે કઈ કારણથી કહ્યું નથી. (૭) ક્ષાયિકાદિ ભામાંથી કયા જીવનમાં કેટલાં ભાવે હોય છે? તે ભાવ દ્વાર (૮) નારક વગેરે જીવસમુદાયને પરસ્પર કેણ કોનાથી અલ્પ છે અથવા વિશેષ છે ? એ વિચારણા તે અ૫હત્વદ્વાર. એ પ્રમાણે આઠે દ્વારે જીવસમાસના વ્યાખ્યાના દ્વારે છે. આ સંક્ષેપાર્થ કહ્યો. વિસ્તારાર્થ ગ્રંથકાર પોતે જ પ્રકરણના અંત સુધી કહેશે. (૫) હવે ગતિ વગેરે માણા દ્વારા કહે છે.” गइ इंदिए य काए जोए वेए कसाय नाणे यां संजम देसण लेसा भव सम्मे सन्नि आहारे ॥६॥ : અતિ ? પ્રિય, ૩ કાય, ૪ ગ, ૫ વેદ, ૬ કષાય. ૭ જ્ઞાન, ૮ સંયમ, ૯ દર્શન, ૧૦ લશ્યા, ૧૧ ભવ્ય, ૧૨ સમ્યકત્વ, ૧૩ સંત, (૪ આહારક એમ ૧૪ માર્ગણાઓ છે. (૬) ટીકાર્થ –મિથ્યાદષ્ટિ આદિ છવભેદ સપદ પ્રરૂપણું વગેરે દ્વારે વડે નરકગતિ વગેરે ગતિ માર્ગણુઓમાં વિચારવા. એ પ્રમાણે ઇન્દ્રિય, કાય, ગ વેદ, કષાય, જ્ઞાન, સંયમ દર્શન, વેશ્યા, ભવ્ય, સમ્યફત્વ, સંસી, આહારક એમ તેર માર્ગણાસ્થાનમાં પણ છવભેદે વિચારવા, જીવાદિ પદાર્થો આ સ્થાનમાં શોધાતા હોવાથી (વિચારાતા હોવાથી આ માર્ગણા સ્થાને કહેવાય છે. ૧ અયોગના નવ દ્વારમાં ભાગ ધ્વાર છે, અહીં આઠ અનુયેગથી વિચાર કરેલ છે.
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy