SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ પીઠિકા કહેલા પદાર્થના સંબંધને જાણી શ્રોતા સાંભળવા માટે પ્રર્વતે છે. તે કારણથી શાસ્ત્રની શરૂઆતમાં પ્રજન સહિત સંબંધ કહેવો. (૧) કઈ રીતે આ જીવસમાસને અનુક્રમ કરવા ગ્ય છે, તે કહે છે. ' “निक्खेव-निरुत्तीहिं अहिंयाणुओगदारहिं ।” गइयाइ मग्गणाहि य जीव-समासाऽणुगंतव्वा ॥२॥ ગાથાર્થ : નિક્ષેપવડ, નિરુક્તિવર્ડ, આઠ અનુગ દ્વારે વડે તથા ગતિ આદિ માર્ગણા વડે જીવસમાસે જાણવા (૨) ટીકાર્ય-નિક્ષેપણ કરવું (સ્થાપન કરવું) તે નિક્ષેપ કે જે શાસ્ત્રમાં નામ સ્થાપના વગેરે ભેદો વડે પ્રસિદ્ધ છે. અહિ તેનું જ સ્વરૂપ કહેવામાં આવશે. નિશ્ચિત ઉક્તિ નિરુક્તિ અથવા જેના વડે નિશ્ચયપૂર્વક અર્થ કહેવાય તે નિરુક્તિ; જેમકે જીવે છે, જીવશે અને જીવી રહ્યો હોય તે જીવ એવા પ્રકારની શબ્દવ્યુત્પત્તિ તે નિરુક્તિ:. આ નિક્ષેપ અને નિરુક્તિ વડે જેનું સ્વરૂપ કહ્યું છે તે જીવસમાસે જાણવા. તથા સૂત્રનું અર્થની સાથે યંગ્ય જોડાણ તે અનુગ એટલે વ્યાખ્યા. તે અનુરોગના ઉપાયરૂપ ભેદો તે અનુગ દ્વારે. તે , ૪, , શ વ વગેરે આગળ કહેવાતા શું ? શેને? આદિ છ દ્વારા તથા “શાંતાપવાથી” વગેરે આગળ કહેવાશે તે આઠ દ્વારે વડે જીવસમાસની વ્યાખ્યા કરવી. માર્ગણ એટલે જીવાદિ પદાર્થોનું સંતુ અસત્ આદિ આઠ પ્રકારો વડે નરકગતિ વગેરે માગણાઓમાં અન્વેષણ એટલે વિચારણા કરવી તે માગણ. ગતિ, ઈન્દ્રિય કાય વગેરે ૧૪ માર્ગણાઓ છે. અને તે માર્ગણાએ વડે જીવસમાસાની વિચારણા કરીને જાણવા (૨) વિસ્તાર પૂર્વક કહેવાની ઈચ્છાવાળા સૂત્રકાર પિતે જ નિક્ષેપનું સ્વરૂપ કહે છે." નામ-વ- માં જ ખ્યો જ નિવે. कत्थइ य पुण बहुविहो तयासयं पप्प कायव्वो ॥३॥ ગાથા–નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે નિક્ષેપ થાય છે. વળી કયાંક પદાર્થના આશ્રયને પામીને અનેક પ્રકારે નિક્ષેપ કરવા. (૩) ટીકાથ–સામાન્ય રીતે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે નિક્ષેપ થાય છે તે અહિં આગળ આ પ્રમાણે ઘટી શકે છે. જીવ એ પ્રમાણે કેઈનું નામ તે જીવનમ. નામ એજ જીવ છે એમ માનીને જે કઈક સચેતન કે અચેતન પદાર્થનું જીવ એવું નામ કરાય તે નામજીવ; અને નામ માત્ર વડે કરી છે તે નામનવ. ચિત્રકર્મો લેપકર્મ, અક્ષ વગેરેમાં જે સ્થાપન કરાય તે સ્થાપના જીવ. જીવના જ જે જ્ઞાનાદિ પર્યાયે જીવના જ હોવા છતાં પણ તે પર્યાને પથ્થર વગેરે વડે દૂર થવા રૂપ માની તે જ્ઞાનાદિ પર્યાની અવગણના કરી તે પર્યાયોથી રહિત જીવ માનીને ફક્ત જીવમાત્રની ' જ વવક્ષા તે કરવી દ્રવ્યજીવ.
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy