SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્રપ્રમાણ ૧૩૫ અતિ સૂક્ષમ છે અને તે ઉર્ધ્વરેણુ તે બારી વગેરેમાંથી સૂર્યના કિરણે વગેરેના બહાને પિતાનાથી અથવા બીજાથી ઉપર નીચે તિર્થો ફેલાવાને સ્વભાવવાળી જે ધૂળ તે ઉર્ધ્વરેણુ કહેવાય છે, માટે તે ઉર્ધ્વરેણ વ્યવહારિક આઠ પરમાણુ વડે શી રીતે થાય? આથી સિદ્ધાંતથી અવ્યભિચારી આઠ સ્લણશ્લણિકા રૂપ ઉપચારથી વ્યવહારિક પરમાણુ વડે એક ઉર્ધ્વરેણુ થાય છે એમ નક્કી થયું. '' પૂર્વ વગેરે દિશાના વાયુ વડે પ્રેરિત જે ધૂળ ઊડે તે વરેણું કહેવાય છે ઉર્ધ્વરે સ્વયંપણે ઊડે છે. જ્યારે ત્રસરેણુ પૂર્વ વગેરેના વાયુથી જ ઊડે છે. આથી તેનું અલ્પ પ્રમાણ છે. માટે આઠ ઉર્વરેણું એ એક ત્રસરણ થાય છે. આ પ્રમાણે હેવાથી ગાથામાં ઉર્વારણને અધ્યાહાર યુક્તિસંગત જ છે એમ માનવું.. ચાલતા રથના ચક્રથી ઊડતી જ ધુળ તે રથરણ, ત્રસરણ પૂર્વ વગેરે દિશાના વાયુ વાયે છતે ઊડે છે જ્યારે આ રથરેણુ વાયુ હોવા છતાં રથન ચક્ર વગેરેના ખનન વગર ઊડતી નથી. આથી ત્રસરેણુ અલ્પપ્રમાણ છે. માટે આઠ ત્રણ વડે એક રથરેગુ થાય છે. અહીં “માબૂ જળ તણો એવા પ્રકારને પાઠ ઘણી પ્રતમાં દેખાય છે. પણ તે બરાબર નથી. કારણકે ઉપર કહેલા ન્યાય પ્રમાણે વિપરિતતા આવતી હોવાથી. રથરેણુને આશ્રયી ત્રસરેનું આઠગણાપણું ઘટતું નથી. જે કઈ એમ કહે કે આ પાઠ તે સંગ્રહણી કારે ઘરમાણૂ ખૂ, તા. વગેરે દ્વારા કહ્યો છે તેમાં પણ એક સરખો જ રસ્તે છે કે તે પાઠને આગમની સાથે વિચારતા વિરોધ આવે છે, તેમજ યુકિતથી અસંગત હોવાથી ઘટી શક્તો નથી. ' ! 1 આઠ રથરેણુ વડે દેવકુરૂ ઉત્તરકુરના મનુષ્યને એક વાસાગ્ર થાય છે. એ આઠ વાલાગ્ર વડે હરિવર્ષ, રમ્ય ક્ષેત્રના મનુષ્યને એક વાસાગ્ર થાય એ આઠ વાલા)- વડે હૈમવત હૈરણ્યવંત ક્ષેત્રના મનુષ્યનો એક વાલાઝથાય,એ આઠ વાલા વડે પૂર્વપશ્ચિમવિદેહના મનુષ્યને એક વાસાગ્ર થાય છે એવા આઠ વાલાગ્ર વડે ભરત રાવત ક્ષેત્રના મનુષ્યને એક વાસાગ્ર થાય છે. વાળાગ્ર એટલે વાળને અગ્રભાગ. આ પ્રમાણે વાલાોના ભેદો હોવા છતાં પણ વાલાગ્ર સામાન્ય જાતિની વિવક્ષાથી સામાન્ય રૂપે વાલાગ્ર એમ એકજ નિર્દેશ કર્યો છે. આઠ ભરત રાવત મનુષ્યના વાલાથી એક પ્રસિદ્ધ સ્વરૂપવાળી લીખ જાણવી. એ આઠ લીખથી એક યુકા (જૂ) થાય છે. આંઠ યુકા વડે ચવ શબ્દથી સૂચિત એક યવમધ્ય થાય છે. (૯૮) તે યવમધ્ય પછી શું? તે કહે છે. अ य जवमज्झाणि अंगुलं छच्च अंगला पाओ। पाया य दो विहत्थी दोवि य विहत्थी भवे हत्यो ॥९९॥..
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy