SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યાહાર . સ્થિર ઉદય હોતું નથી. એ પ્રમાણે બાકીના દેવેને અને નારકને પૂર્વમાં જેને જેટલી લેશ્યા કહી છે તેને તેટલી દ્રવ્ય વેશ્યા કહેવી. તે તે દ્રવ્યલેગ્યાએ તે દેવનારને હંમેશા સ્થિર ઉલ્યવાળી જાણવી. ભાવલેશ્યા આશ્રયી સર્વ દેવનારકોને છએ વેશ્યા હોય છે. પ્રશ્ન :-દ્રવ્યલેશ્યા જન્ય ભાવલેશ્યા કહી છે. જે તે દેવનારક વગેરે જીવેને છ પ્રકારના દ્રવ્ય નથી લેતા તે પછી ભાવલેણ્યા છ પ્રકારે શી રીતે હેય? કારણકે, કારણ વગર કાર્ય થવાથી નિહેતુક્તાને પ્રસંગ આવે. ઉત્તર :-સાચી વાત છે, પણ અવસ્થિત ઉદયને આશ્રયી જેને જેટલી દ્રવ્યલેશ્યા કહી છે તેને તેટલી જ દ્રવ્યલેશ્યા હોય છે. કદાચિત ઉદયને આશ્રયી કહેલ દ્રવ્યલેશ્યા સિવાય બીજી પણ તેઓને દ્રવ્ય લેસ્યાને ઉદય હોય છે. જેમકે સાતમી નરકમાં હંમેશા કૃષ્ણ વેશ્યાના દ્રવ્યને જ સ્થિર ઉદય હોય છે. પરંતુ સમ્યક્ત્વ પ્રાપ્તિકાળે તેલેર્યા વગેરે દ્રવ્યને પણ ઉદય થાય છે ત્યારે જ તે સમ્યક્ત્વ વગેરે ભાવને પ્રાપ્ત થાય છે. આ વાત તમારે જરૂર સ્વીકારવી પડશે, નહિં તે પછી તેઓને જે “સમ્યક્ત્વ પ્રાપ્તિને લાભ સિદ્ધાંતમાં કહ્યો છે તે પ્રાપ્ત થશે નહિં કારણકે અશુભ લેસ્થાના પરિણામ હેય તે સમ્યક્ત્વને અસંભવ છે. પ્રશ્ન –જે એ પ્રમાણે હોય તે સ્થિર લેહ્યા અને આગંતુક વેશ્યાના દ્રવ્યથી ઉત્પન્ન થયેલ બે પ્રકારના પરિણામે એકજ વખતે થવાનો સંભવ છે. એકીસાથે પરસ્પર વિરૂધ્ધ પરિણામેની સત્તા સિધ્ધાંતમાં સ્વીકારાઈ નથી તેમજ યુક્તિથી પણ બેસતું નથી. . • ઉત્તર સાચી વાત છે. જે આગંતુક વેશ્યાના દ્રવ્ય કોઈ ઉદયમાં આવે ત્યારે તે દ્રવ્ય અવસ્થિત વેશ્યાના દ્રવ્યને પ્રતિહત બળવાળા કરે છે. જેથી પિતાનાથી ઉત્પન્ન થનારા પરિણામને ઉત્પન્ન કરી શકતા નથી. તેથી આગંતુક લશ્યાના ઉદય વખતે તેના દ્વારા ઉત્પન્ન થયેલ એકજ પરિણામ હોય છે. તેથી બે પરિણામે કેવી રીતે હોઈ શકે? પ્રશ્ન :- એમ હોય તે નારક અને દેવેની જે અવસ્થિત કૃષ્ણ વગેરે વેશ્યાઓ કહી છે તે નિરર્થક થશે. કારણકે આગન્તુક દ્રવ્યલેશ્યાના ઉદય વખતે અવસ્થિત વેશ્યાને અવરોધ થશે ? ઉત્તર એ પ્રમાણે નથી. આગંતુકલેશ્યાના દ્રવ્યના ઉદય વખતે અવરિત લેગ્યાના દ્રવ્ય ફરી આકારમાત્ર રૂપે જ સ્વીકારાય છે; નહિં કે બિલકુલ પિતાના સ્વરૂપને છેડી બીજા સ્વરૂપાંતરને સ્વીકારે, કે જેથી અવસ્થિત લેશ્યાના ઉદયમાં વિરોધ આવે. પ્રજ્ઞાપનામાં પણ કહ્યું છે કે
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy