SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् - અન્યક્તિ - प्रमाणविषयत्वं बुद्धीनाम्, स एव चात्मेति, स्वदेहव्यापी स्वात्मा, परदेहेव्यापी पर इति । तथा शरीरकारणयोः शुक्रौजसोर्धात्विन्द्रियाङ्गोपाङ्गादिपरिणामगतेरभिसन्धिमानाहर्ताऽनुमीयते, तथाऽऽहारपरिणामित्वात् (आहाराऽपरिणामित्वात् ?) तच्छवशरीरं केनाप्यभिसन्धिमता क्वापि गच्छतोत्सृष्टं, स चोत्स्रष्टाऽऽत्मेति निश्चीयते, एवमयमुपयोगलक्षितः कर्ता भोक्ता चात्माऽध्यवसातव्यः। अथात्र पर आरेकते → ज्ञानरूप आत्मा चेत् अनवरतमेव कस्मान्न पश्यति हि 'सोऽर्थान् ? जानानं हि ज्ञानमुच्यते, 'ज्ञानं च न जानीते च' विप्रतिषिद्धमिदम्, आत्मा च ज्ञानस्वरूपोऽतः सर्वदा तेन जानानेनैव भवितव्यम्, न जातुचिदन्यथेति, कस्माद् विज्ञानात्मकत्वे पूर्वोपलब्धार्थविषयमस्य विस्मरणमविनष्टज्ञानस्य सतो भवति ? किं वा कारणमव्यक्तबोधो भवत्यात्मा ? नाव्यक्तमिष्यते ज्ञानमुप - હેમગિરા - પોતાના શરીરમાં બુદ્ધિપૂર્વકની યિા પોતાને અનુભવસિદ્ધ છે. અને તે કિયાથી ઉત્પન્ન થયેલ સુખ અને દુઃખ તેમજ રૂપાદિ અર્થોનું જ્ઞાન અનુભવ (= પ્રત્યક્ષ) સિદ્ધ હોવાથી બુદ્ધિ (= જ્ઞાન) પ્રત્યક્ષ પ્રમાણનો વિષય છે અને તે (બુદ્ધિ) જ આત્મા છે એમ જાણવું. સ્વદેહવ્યાપી આત્મા એ સ્વાત્મા કહેવાય છે તથા પરદેહવ્યાપી આત્મા તે પર (= પરાત્મા) કહેવાય. તેમજ જીવંત શરીરમાં શરીરના કારણ એવા શુક્ર અને ઓજસનું ધાતુ, ઇન્દ્રિય અને અંગોપાંગ આદિ રૂપે પરિણમન થતું હોવાથી તેનો કોઈ બુદ્ધિમાન ગ્રાહક હોવો જોઈએ, એમ અનુમાન કરાય છે. વળી મૃત શરીરમાં આહારનું તથારૂપે પરિણમન ન થતું હોવાથી, તે દેહમાંથી કોઈપણ બીજી ગતિમાં જતા કોઈપણ બુદ્ધિમાન વડે, તે મૃત શરીર ત્યાગ કરાયું છે (એવું પણ અનુમાન થાય છે, અને તે ત્યાગ કરનાર આત્મા છે એવું નિશ્ચય કરાય છે. આ પ્રમાણે ઉપયોગ રૂપ લક્ષણથી લક્ષિત (= ઓળખાયેલ), કર્તા અને ભોકતા એવો આ આત્મા જાણવો. જ્ઞાન+અજ્ઞાન વિરોધી હોવાથી એક આધારમાં ન હોય - પૂર્વપક્ષ છે હવે અહીં અન્ય કોઈ શંકા કરે છે કે ખરેખર જો આત્મા જ્ઞાન (ચેતના) રૂપ છે તો તે (= આત્મા) અર્થોને નિરંતર જ કેમ જોતો (= જાણતો) નથી? કહેવાનો આશય એ છે કે જે જાણનારું છે એ જ્ઞાન કહેવાય છે, પણ જ્ઞાન છે અને જાણતું નથી' એમ કહેવું એ તો વિપર્યય (માતા વધ્યા'ની જેમ પરસ્પર વિરૂદ્ધ) વાત છે અને આત્મા એ જ્ઞાન સ્વરૂપ છે, એથી તે આત્મા હંમેશા જાણનાર જ રહેવો જોઈએ, ક્યારેય પણ અન્યથા (= અજ્ઞાની) રૂપે નહીં. બીજું એ કે આત્મા વિજ્ઞાનાત્મક હોય તો સદા અવિનષ્ટ જ્ઞાનવાળા એવા આ (= આત્મા)ને પૂર્વે ઉપલબ્ધ થયેલ અર્થવિષયક વિસ્મરણ (= અર્થનું વિસ્મરણ) શાથી થાય ? (જે થી અનુસ્મરણ ૨. તિ તો - મુ. - રવં (. .) ૨. જ્ઞાન - ૫. (ાં. .) ૩. ઢથાર્થે વિષય-૦ - મુદ્રિતશદ્ધિપત્ર (જ. હું. .)
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy