SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ गन्धहस्त सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/१ (चत्वारो विकल्पाः), पुनश्चौदयिकौपशमिक - क्षायिक- क्षायोपशमिक-पारिणामिकाः दर्शनसप्तकवर्जं समस्तमोहनीयोपशमाच्छेषकर्मक्षयोपशमादित्वे सति मनुष्यगतावेवोपशमश्रेणिसद्भावे सत्येको विकल्पः, तथा औदयिक-क्षायिक-पारिणामिका एक एव भङ्गः, केवलिनो मनुष्यत्व - कैवल्य-जीवत्वाप्तेः तथा क्षायिक पारिणामिकावेको भङ्गः, सिद्धे केवलसम्यक्त्वादिजीवत्वतः, एवं पञ्चदश सान्निपातिका भावभेदाः पञ्चक-चतुष्क- त्रिक-द्विकसंयोगनिष्पन्नाः चतुरादिगतिभेदैर्मिश्रग्रहणे लब्धा', मिश्रग्रहणे न च सान्निपातिकः संयोगमात्रं परिगृह्यते, न क्षयोपशमाविति । कृतसमासयोश्च पूर्वयोर्निर्देश उत्पत्ति-विगमकालसाम्यात् संहतोत्तरकारणत्वाच्च, औपशमिकक्षायिकौ हि संहितौ मिश्रस्य कारणीभवतः, मिश्रे चासमासकरणं स्वामिबाहुल्यप्रतिपिपादयिषयाऽकारि, હેમગિરા ગતિની અપેક્ષાએ જ ૪ વિકલ્પો બને છે. વળી યારે શ્રેણિકાદિની જેમ કોઈક જીવમાં ક્ષાયિક સમકિતનો સદ્ભાવ હોય છે ત્યારે ‘ઔદયિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક અને પારિણામિક’ એમ સાંનિપાતિક ભાવ થાય છે અને તેના ૪ ગતિની અપેક્ષાએ ૪ વિકલ્પો સમજવા. ८ વળી ‘ઔયિક, ઔપામિક, ક્ષાયિક, ક્ષાયોપામિક અને પારિણામિક’ આ ભાવપંચકનો એક વિકલ્પ મનુષ્યગતિમાં જ ઉપશમ શ્રેણીના સદ્ભાવમાં (ક્ષાયિક સમ્યક્ત્વીને દર્શન સસકનો ક્ષય થઈ ગયો હોવાથી) જ્યારે દર્શનસપ્તક વર્જીને શેષ સમસ્ત મોહનીય કર્મનો ઉપશમ થવાથી શેષ જ્ઞાનાવરણાદિ ૭ કર્મના ક્ષયોપશમ વગેરે હોય ત્યારે થાય છે. તથા ‘ઔદયિક, ક્ષાયિક અને પારિણામિક’ આવો એક જ વિકલ્પ કેવલીમાં સંભવે છે, કેમકે કેવલી ભગવંતમાં મનુષ્યત્વ (ઔયિક ભાવ), કેવળજ્ઞાન (ક્ષાયિક ભાવ) અને જીવત્વ (પારિણામિક ભાવ) મળે છે. તથા સિદ્ધ ભગવંતોમાં ‘ક્ષાયિક અને પારિણામિક' આવો એક વિકલ્પ છે, કેમકે સિદ્ધ ભગવંતમાં કેવલ (= ક્ષાયિક) સમ્યક્ત્વ વગેરે (ક્ષાયિકભાવ) તથા જીવત્વ (પારિણામિક ભાવ) છે. આ પ્રમાણે ૪ ગતિ આદિ ગતિના ભેદોથી પંચક, ચતુષ્ક, ત્રિક અને દ્વિકના સંયોગથી બનેલા ૧૫ સાન્નિપાતિક ભાવના ભેદો મિશ્રના ગ્રહણમાં મેળવાયા. (તે આ પ્રમાણે - પંચક સંયોગનો-૧, ચતુષ્ક સંયોગના-૮, ત્રિક સંયોગના-૫, દ્વિક સંયોગનો-૧, કુલ મળીને ૧૫ વિકલ્પો થયા.) પરંતુ સૂત્રમાં મિશ્ર પઠનાં ગ્રહણમાં સાંનિપાતિક ભાવ સંયોગ રૂપે હોવા છતાં સંપૂર્ણ ગ્રહણ નથી કરાયો અર્થાત્ સાંનિપાતિક ભાવના છવ્વીસે છવ્વીસ વિકલ્પો ગ્રહણ નથી કરાયા તેમજ ‘ક્ષય અને ઉપશમ’ એવો દ્વિક સંયોગી વિકલ્પ પણ ગ્રહણ નથી કરાયો. * સમાસ કરવાના અને નહીં કરવાના કારણો # પૂર્વના બે ભાવોનો સમાસ કરવાપૂર્વક એક સાથે નિર્દેશ કરાયો છે, કારણકે ક્ષાયોપરામિક ભાવની ઉત્પત્તિ અને વિનાશમાં એ બન્ને ભાવોની ઉત્પત્તિ અને વિનાશ એક સાથે એક જ સમયે ૬. વત: પ૨ - મુ. (સં. માં.)। ૨. જાના: - મુ. (હં. માં.)।
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy