SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ २५७ सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् भाष्यम् :- तैजसमपि शरीरं लब्धिप्रत्ययं भवति॥ - સ્થિતિ 'द्रागौदारिकमेवानुप्रविशति, एष चारम्भात् प्रभृत्या अपवर्गात् सर्वोऽन्तर्मुहूर्तपरिमाणः कालो भवतीति, प्रमाणं चास्यावरतो न्यूनः पाणिरुत्कर्षेण सम्पूर्ण इति । अथ तैजस-कार्मणे कस्मिन् जन्मनि समुद्भवत इति, नानयोर्नियमः, सर्वत्राप्रतिहतशक्तित्वात्, सर्वजन्मसु सहजतैजसं कार्मणं वा स्यान्न तु लब्धितैजसम्, अतो लब्धिप्रस्तावमुपजीवन् भाष्यकार: તૈનસમવતિ (માગ) મહા तेजोविकारस्तैजसं सर्वस्योपलक्षणं, रसाद्याहारपाकजननमेतच्चावश्यं सर्वप्राणिविषयमभ्युपगन्तव्यम्, अन्यथा शरीरपदे तैजसशरीराणि बद्धान्यनन्तानि अनन्तोत्सर्पिण्यवसर्पिणीसमयराशिसमભાષ્યાર્થ ? તૈજસ શરીર પણ લબ્ધિ પ્રત્યય હોય છે. - હેમગિરા - ખેંચીને) તેઓ શીઘ્રતાથી ઔદારિક શરીરમાં જ પ્રવેશ કરે છે. આહારકના આરંભથી માંડી અંત સુધીનો આ બધો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. વળી આ શરીરનું પ્રમાણ જઘન્યથી કાંઈક ન્યૂન ૧ હાથ અને ઉત્કૃષ્ટથી સંપૂર્ણ ૧ હાથ જાણવું. આ પ્રમાણે આહારક શરીરની વક્તવ્યતા પૂર્ણ થઈ. A B તેજસ-કાશ્મણની વકતવ્યતા : હવે તૈજસ અને કાર્મણ શરીર ક્યા જન્મને વિશે હોય છે ? એવા પ્રશ્નના ઉત્તરમાં કહેવાય છે કે – આ બંને શરીરને માટે કોઈ ચોક્કસ (‘આ બંને શરીર અમુકને જ હોય છે, અમુકને નહીં? એવો ચોક્કસ) નિયમ નથી કારણકે આ બંને શરીર સર્વત્ર અપ્રતિહત શક્તિ (= અપ્રતિહત ગતિ)વાળા હોય છે. કહેવાનો આશય એ છે કે – સર્વ જન્મોમાં સહજ તૈજસ અને કાર્પણ શરીર હોય છે પણ લબ્ધિ તૈજસ શરીર સર્વત્ર નથી હોતું. આ પ્રમાણે લબ્ધિના પ્રસ્તાવનો આશ્રય કરતાં સૈકસમ' ઇત્યાદિ ભાષ્યને કહે છે : તેજના વિકાર રૂપ “તેજસ શરીર હોય છે. અહીં ભાષ્યમાં અનુક્ત એવું સહજ તેજસ શરીર જે સર્વ જીવોને હોય છે તેનું ઉપલક્ષણથી ગ્રહણ કરી લેવું. કેમકે રસ વગેરે આહારના પાક (ધાતુઓ)ને ઉત્પન્ન કરનારું આ સહજ તેજસ શરીર અવશ્ય બધા પ્રાણીઓના વિષયવાળું = સંબંધવાળું સ્વીકારવું જોઈએ. અન્યથા (= જો સર્વ પ્રાણીના વિષયવાળું તૈજસ શરીર છે એવું નહિ સ્વીકારશો તો) પન્નવણા સૂત્ર સાથે સંગતિ નહીં થાય, તે આ રીતે – શ્રી પન્નવણા સૂત્રમાં શરીર પદમાં ‘બદ્ધ’ તૈજસ શરીરો અનંતા હોય છે, તે આ પ્રમાણે – (૧) કાળની અપેક્ષાએ ૨. પ્રા° - (. .) ૨. સહૌ૦ - મુ. (ઉં.) ૩. , તન્યા’ - મુ (ઉં. પ.).
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy