SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૩ તવાથધિગમ સૂત્ર • ભૂમિકા • કરી ટીકાકારશ્રીએ કહી દીધી. જેના ગર્ભિત અર્થ કાઢવા માટે પન્નવણા, લોકપ્રકાશ આદિ આકર ગ્રંથોનો સહારો લેવો પડ્યો, જેમકે વનસ્પતિકાય આદિના ભેદના પ્રતિપાદનમાં શરૂઆતના ભેદો કહ્યા પછી બાકી રહેલાનો નિર્દેશ આદિ પદથી કરી દીધો. (પૃષ્ઠ-૮૮) * स्याद्वादमुद्रानतिभेदि वस्तु # ૬) કેટલાક સ્થાને એવો પૂર્વાપર વિરોધ આવ્યો કે જેનો સમન્વય કરવા અનેક અપેક્ષાઓ નયો/દષ્ટિકોણોનો સહારો લેવો પડવો, જેમકે સાન્નિપાતિક ભાવોના અસંભવિત ૧૫ વિકલ્પો (પૃષ્ઠ૭૦) ઇત્યાદિ. છે નાથવ: શાસ્ત્રક્રુષ: + ૭) કેટલાક એવા ક્લિષ્ટ સ્થાનો આવ્યા જેના અર્થ બેસાડવા વ્યાકરણ અને બીજા ગ્રંથો | ટીકાઓનો પણ સહારો લેવો પડયો, જેમકે “નો-પક્ષTT” વગેરે પ્રયોગો (પૃષ્ઠ-૨૦૦) તથા આહારક શરીર બનાવવાના ૪ પ્રયોજનો. (પૃષ્ઠ-૨૫૪) ૮) કેટલાક એવા સ્થાનો આવ્યા જેમાં તુલના રૂપે તત્ત્વાર્થ સૂત્રની હારિભદ્રીય આદિ વેતાંબરીય અને રાજવાર્તિક આદિ દિગંબરીય ટીકાઓનો તેમજ બીજા ગ્રંથોના પણ અવતરણો પદાર્થની સ્પષ્ટતા અને બુદ્ધિની વિશદતા માટે આપવા ઉપયોગી જણાયા, જેમકે પૃથ્વીકાય આદિમાં જીવતત્ત્વની સિદ્ધિ (પૃષ્ઠ-૮૭) પાંચ ઇન્દ્રિયો કરતાં વધુ ઇન્દ્રિયો માનનારાઓનું નિરાકરણ (પૃષ્ઠ-૯૫) આમ બીજા અધ્યાયની અનુવાદ યાત્રામાં પસાર થતાં એ અનુભવ થયો કે ગંધહસ્તિ પૂ. શ્રી સિદ્ધસેન ગણિજીની ટીકાના પદાર્થો સમજવા, એનું રહસ્ય તાત્પર્ય પકડવું એ અતિશય કપરું છે. આ ગ્રંથ ઉપર કોઈએ પણ આજ સુધી ભાષાંતર કર્યું નથી. આ ટીકાનો પ્રથમવાર અભ્યાસ કર્યો ત્યારે તો ઘણાં બધા પદાર્થો સમજાયા જ ન હતા પણ જેમ જેમ વધુને વધુ અભ્યાસ થતો ગયો, તેમ તેમ આ ગ્રંથના પદાર્થો વધુને વધુ સ્પષ્ટ થવા લાગ્યા. આમ આ ગ્રંથનું ભાષાંતર કરવામાં મુખ્યતયા નીચે લખાતા ૩ પરિબળોનો સહારો લેવો પડ્યો. વારે વાવે નાતે તત્ત્વનિય: . ૧) તત્ત્વાર્થ સૂત્રની અન્ય વેતાંબરીય અને દિગંબરીય ટીકાઓ તેના વિવરણો, લોકપ્રકાશ, આહતુદર્શન દીપિકા આદિ બીજા વિસ્તૃત ગ્રંથોનો આધાર. ૨) આગળ-પાછળનો વિચાર અને વારંવારનું ચિંતન/પરિશીલન. ૩) વર્તમાનના અનેક મહાગીતાર્થ વિદ્વાન મહાત્માઓને અને પંડિતવર્યોને પૃચ્છા. * बहुस्सुअं पज्जुवासेज्जा * પૂજ્યપાદ સિદ્ધાંત દિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી જયઘોષસૂરીશ્વરજી મ. સા.
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy