SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ १२४ सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/२१ - સ્થિતિ – स्व) लक्षणविशिष्टत्वात्, यदेवास्यान्तरङ्ग लक्षणं तदेव स्वरूपं त एव हि तस्य धर्माः सर्वदाऽजहद्त्तित्वात् स्वलक्षणम्, परनिमित्तास्तु 'द्रव्य-क्षेत्र-कालादयोऽपगच्छन्तोऽनुगच्छन्तश्च न स्वलक्षणं, तदनादिपारिणामिकधर्माविष्कृतस्वरूपं वस्त्विन्द्रियादिव्यपदेशाद् भिद्यते, यश्च स्वरूपावस्थितस्य पश्चादिन्द्रियसम्बन्धो नासौ वस्तुनः स्वरूपं भवति, तेन स्पर्शादयो न द्रव्यादर्थान्तरमथ'च परनिमित्त एषां भेदो द्रव्याभेदेऽपीति। एतेन दार्शन-स्पार्शनमेव च द्रव्यमिति प्रत्यस्तम्। अत्र चात्माङ्गुलप्रमितसातिरेकयोजनलक्षावस्थितं चक्षुः प्रकाशनीयरूपं गृह्णाति प्रकर्षत इति सिद्धान्तः । एतेन पुष्करार्धवर्तिपुरुषसातिरेकैकविंशतिलक्षाऽऽप्रमितप्रदेशोत्कृष्टदिवसोदयकाल – હેમગિરા – જ દ્રવ્ય રસનેન્દ્રિય દ્વારા બોધના વિષય તરીકે પ્રાપ્ત થયેલું અર્થાત્ તિક્તાદિ તરીકે જીવમાં પરિણામને પામતું “રસ’ એ પ્રમાણે કહેવાય છે. એ જ રીતે ઘાણ આદિ અન્ય ઇન્દ્રિયોની પ્રાપ્તિમાં પણ તે જ દ્રવ્ય “ગંધ’ આદિ રૂપે પણ કહેવા યોગ્ય છે. શe ઈન્દ્રિયની વિવિધતાની અપેક્ષાએ દ્રવ્યની વિવિધતા : ‘એક’ એવું પણ દ્રવ્ય, (પરનિમિત્ત સ્વરૂ૫) ઇન્દ્રિયના વિવિધ પ્રકારોને આશ્રયી સ્પર્ધાદિ વિવિધ પ્રકારો દ્વારા ભેદ (= અનેકતા)ને પામે છે. વળી સ્વનિમિત્તને આશ્રયી તો દ્રવ્ય એક જ છે, કેમકે તે પોતાના લક્ષણથી (હંમેશાં) યુક્ત છે. વસ્તુનું જે અંતરંગ લક્ષણ છે તે જ તેનું સ્વરૂપ છે અને જે ધર્મો સ્વરૂપભૂત છે તે જ ધર્મો તેના (= વસ્તુના) સ્વલક્ષણ છે, કેમકે તેઓ વસ્તુની સાથે જ હંમેશાં રહેનારા છે પરંતુ જતાં અને આવતાં (જહત્ વૃત્તિવાળા) એવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વગેરે પરનિમિત્તો સ્વલક્ષણ કહેવાતા નથી. તે અનાદિ પારિણામિક ધર્મથી આવિર્ભત સ્વરૂપવાળી એવી જે એક વસ્તુ છે તે ઇન્દ્રિય વગેરે (સંબંધ)થી થતાં (સ્પર્શ વગેરે) વિધાન દ્વારા ભેદને પામે છે પણ સ્વરૂપમાં અવસ્થિત વસ્તુને પછીથી થતો જે ઇન્દ્રિયનો સંબંધ છે એ (સંબંધ) વસ્તુનું સ્વરૂપ બનતો નથી, તેથી સ્પર્ધાદિ એ દ્રવ્ય = ઘટાદિ થી અર્થાતર = ભિન્ન નથી. આમ દ્રવ્યથી સ્પર્ધાદિ અભિન્ન હોવા છતાં પણ જે આ સ્પર્ધાદિનો ભેદ જણાય છે તે પર નિમિત્તક જાણવો અને આમ કહેવા દ્વારા દ્રવ્ય એ ચહ્યું અને સ્પર્શનેન્દ્રિયનો જ વિષય છે એવી માન્યતાનું ખંડન થયું. ફક ચક્ષુના વિષય ક્ષેત્રની મર્યાદા : અહીં (= ઇન્દ્રિયો દ્વારા વિષયગ્રહણની બાબતમાં) ઉત્કૃષ્ટથી આત્માંગુલથી મપાયેલ સાધિક ૧ લાખ યોજન સુધીમાં અવસ્થિત પ્રકાશનીય (= અભાસ્વર) રૂપને ચક્ષુ ગ્રહણ કરે છે એવો સિદ્ધાંત (= નિયમ) છે. એથી (એ નિયમથી) પુષ્કરાર્ધક્રીપમાં રહેતા પુરુષ દ્વારા સાતિરેક ૨. ક્ષેત્ર - દ્રવ્ય - વાના° E. (1.) ૨. મથ ન પર° E. (ઉં. માં.)
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy