SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •ऋजुसूत्रलक्षणम् भाष्य- सतां साम्प्रतानामर्थानामभिधानपरिज्ञानमृजुसूत्रः ।।। — ऋजुसूत्रर्लक्षणव्याचिख्यासया आह- सतामित्यादि । सतां विद्यमानानां, न खपुष्पादीनामसतां, तेषामपि साम्प्रतानां वर्तमानानामितियावत् अर्थानां घटादीनां अभिधानं शब्दः परिज्ञानम् अवबोधो विज्ञानमितियावत्, अभिधानं च परिज्ञानं चाभिधानपरिज्ञानं यत् स भवति ऋजुसूत्रः। एतदुक्तं भवति- तानेव व्यवहारनयाभिमतान् विशेपानाश्रयन् विद्यमानान् वर्त्तमानक्षणवर्तिनोऽभ्युपगच्छन्नभिधानमपि वर्तमानमेवाभ्युपैति नातीतानागते, तेनानभिधीयमानत्वात् कस्यचिदर्थस्य, तथा परिज्ञानमपि वर्तमानमेवाश्रयति, नातीतमागामि वा, तत्स्वभावानवधारणात्, अतो वस्त्वभिधानं विज्ञानं चात्मीयं वर्तमानमेवान्विच्छन्नध्यवसायः स ऋजुसूत्र इति । – હેમગિરા – ભાષ્યાર્થ :- વિદ્યમાન એવા વર્તમાન કાળ સંબંધી) અર્થોના જે અભિધાન અને પરિજ્ઞાન તે ઋજુસૂત્ર નય છે. વિસ્તૃતાર્થ :- વિસ્તૃત = વિસ્તીર્ણ અર્થવાળો. અર્થાત અર્થાત અનેક પ્રકારના જ્ઞેયવાળો = અર્થવાળો આ નય છે. કારણ કે આ નય વિશેષવાદી છે અને સામાન્ય કરતાં વિશેષ અધિક સંખ્યામાં છે. અને વિશેષને જ પ્રધાન માનતો હોવાથી આ નય વિસ્તૃત અર્થવાળો કહેવાય છે. આ પ્રમાણે - લૌકિકસમ, ઉપચારપ્રાયઃ અને વિસ્તૃત અર્થવાળા અધ્યવસાય વિશેષને વ્યવહાર નય કહેવાય છે. હવે ઋજુસૂત્રના લક્ષણને કહે છે. # જુસૂત્ર નયનું સ્વરુપ & આકાશ પુષ્પની જેમ અસતું નહીં પણ સત્ તરીકે વિદ્યમાન, વળી વર્તમાન ક્ષણમાં રહેનારા એવા ઘટાદિ અર્થોનું જે અભિધાન અને પરિજ્ઞાન, બોધ કે વિજ્ઞાન. તે ઋજુસૂત્ર નય કહેવાય. (અભિધાન અને પરિજ્ઞાન વચ્ચે સમાહારદ્વન્દ સમાસ જાણવો.) ભાવાર્થ આ પ્રમાણે :વ્યવહારનયને અભિમત વિદ્યમાન અને વર્તમાન ક્ષણવર્તી જે ઘટ-પટાદિ વિશેષ છે. તેઓ (વિશેષો)નો સ્વીકાર આ ઋજુસૂત્ર નય કરે છે તથા વિશેષોનું જે અભિધાન (વાચક શબ્દ નામ) છે તે પણ વર્તમાનકાલીન જ આ નયને માન્ય છે. અતીત કે અનાગત અભિધાનો આ નયને માન્ય નથી. કારણ કે અતીત-અનાગત અભિયાન તે તુચ્છ (અસતુ) ૫ છે અને તેથી તેઓ (અતીત અનાગત અભિધાન) દ્વારા કોઈપણ અર્થનું વિધાન થઇ શકે નહીં. અને તેમ હોવાથી વર્તમાનકાલીન અભિધાનને આશ્રયીને જ જ્ઞાન થાય છે તેથી જ્ઞાન પણ વર્તમાનક્ષણવર્તી જ હોય પણ અતીત-અનાગતનું ન હોય. આ પ્રમાણે વસ્તુના પોતાના વર્તમાનકાલીન અભિધાન અને જ્ઞાનનો જ પરિચ્છેદ (બોધ) કરતો જે અધ્યવસાય તે ઋજુસૂત્ર નય કહેવાય છે. ૨. તક્ષાર્થી TA..
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy