SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • સંગ્રહસ્ય સ્વશ્યમ્ तदनर्थान्तरत्वात् प्रकल्पनानर्थक्यम्, यदि घटादि वस्त्वपि भवनप्रवृत्तितन्त्रमेवेत्येवं सति भाव एव, तत् स्वात्मवत्, भवनार्थान्तरत्वे वा व्योमोत्पलादिवदसत्वं विकल्पानां रासभविषाणादिसत्त्वं वा घटादिवद् भवनार्थान्तरत्वात्, एतद्दर्शनपुरस्सरा एव च सर्वनित्यत्वैकत्व- कारणमात्रत्वादिवादाः काल-पुरुषस्वभाव-दैवादयश्चेति भावः । હેમગિરા જેમ સર્પને જોઈ કોઈને અજ્ઞાનતાથી દોરડાની મતિ થાય તો તે હકીકતમાં ભ્રમ જ છે. કારણ કે બાધક એવું ‘સર્પજ્ઞાન’ થતાં જ તે દોરડાનું જ્ઞાન વિનષ્ટ થઈ જાય છે. તેમ ઘટાદ પદાર્થો અંગે થતાં જ્ઞાનો ભ્રાંતિરૂપ છે અને ભ્રાંતિ એ અનાદિ કાલીન અવિદ્યાના લીધે ઉત્પન્ન થયેલ છે. જ્યારે આ અવિદ્યા મિથ્યામતિનો નાશ થાય ત્યારે ‘‘સર્વ સત્.’’ એવું બાધક જ્ઞાન થતાં ઘટાદિ વિકલ્પોનું જ્ઞાન નષ્ટ થઈ જાય છે. તેથી સત્તા સામાન્ય જ સ્વીકાર્ય છે. પણ ઘટાદિ વિશેષ નહીં.] આ પ્રમાણે જો ઘટાદિ વસ્તુ (= વિશેષો) પણ સત્તા પ્રવૃત્તિના જ તંત્ર (= નિયામક) રુપ છે અર્થાત્ સત્તાને જ આધીન છે, તો પછી તે ઘટાદિ પદાર્થો ભાવરુપ = સત્તારુપ જ થઈ ગયા. કારણ કે જેમ આત્મા એ પોતાના સ્વરૂપથી અભિન્ન છે, તેમ આ ઘટાદ ભાવો ભવન = સત્તાથી અભિન્ન છે. જો ઘટાદિ વિશેષોને સત્તાથી ભિન્ન અર્થાત૨રૂપે માનો તો આકાશ પુષ્પની જેમ તે વિકલ્પો અસત્ થશે, કારણ કે સત્તા વિનાની વસ્તુ વસ્તુરૂપ જ નથી, અવસ્તુ છે. જેમ કે આકાશપુષ્પ. અગર જો સત્તાથી ભિન્ન ઘટાદિ વસ્તુને વસ્તુરૂપ માનો તો ગધેસીંગ આદિ અસત્ને પણ સરૂપ માનવાની આપત્તિ આવશે કારણ કે આ ગધેસીંગ આદિ પણ ઘટ વગેરેની જેમ સત્તાથી ભિન્ન છે. = २७९ * અદ્વૈતવાદોનું મૂલ = એકાંત સંગ્રહનય આ સંગ્રહનયની દૃષ્ટિને આશ્રયીને જ ‘સર્વ નિત્ય''=નિત્યત્વવાદ સર્વ ર્ત્ય, સર્વ બ્રહ્મ, સર્વત્ એવાં અદ્વૈતવાદો નિકળ્યા છે. એમાં કેટલાક તો એક કાળ માત્રને કારણ માનનારા છે તો કેટલાક માત્ર પુરુષાર્થને, કેટલાક એક સ્વભાવ માત્રને, કેટલાક એક કર્મ માત્રને તથા કેટલાક નિયતિ (ભવિતવ્યતા) માત્રને કારણ માનનારા એકાંત કારણ વાદીઓ છે.(આ એકાંતમતાવલંબિઓ એક નય સ્વરૂપે પણ પૂરા નથી. * નય-દુર્નય-પ્રમાણને સમજીએ જે પોતાના અંશની વાત કરી અન્ય નયોને ગૌણરીતે આદરે છે તે, નય કહેવાય. વૈશેષિકાદિ તો કદાગ્રહવશ સ્વઅંશ (મત)ને જ સત્ય ઠેરવી અન્ય મતનું એકાંતે ખંડન કરનારા છે તેથી આ સર્વે દુર્નય (નયાભાસ) રુપ છે. સ્વઅંશ તથા અન્ય અંશ અર્થાત્ સર્વે અંશોને પરસ્પર સાપેક્ષ રીતે સ્વીકારે તે પ્રમાણ છે.આને એક દૃષ્ટાંતથી સમજીએ દર્શન, જ્ઞાન, ચરિત્ર એ ત્રણે ગુણો મોક્ષમાર્ગ સ્વરૂપ છે. આ ત્રણમાંથી કોઈ એકનો મુખ્યતયા સ્વીકાર તે નય. કોઈ એકનો . "પ્રત્વમાન° TA.I *→
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy