________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् મન:પર્યાયજ્ઞાનેન મનોવ્યાજ પતિ
२४५ केचित् तु मन्यन्ते प्रज्ञापनायां मनःपर्यायज्ञाने दर्शनता पठ्यते, तत्सम्भवे सामान्यग्राहिणी घटितपदा, अतः ऋजुमतिर्विपुलमतिश्च। किम् मनःपर्यायः?, मन इति च मनोवर्गणा जीवेन मन्यमाना द्रव्यविशेषा उच्यन्ते, तस्य मनसः पर्यायाः परिणामविशेषाः मनःपर्यायाः, मनसि वा पर्यायाः, तेषु मनःपर्याययेषु यज्ज्ञानं तन्मनःपर्यायज्ञानमिति । इह साधोः सकलप्रमादरहितस्य मनःपर्यायज्ञानावरणीयकर्मक्षयोपशमात् प्रतिविशिष्टं ज्ञानमुदयते, येन ज्ञानेन मनःपर्याप्तिभाजां प्राणिनां पञ्चेन्द्रियाणां मनुष्यलोकवर्तिनां मनसः पर्यायानालम्बते जानाति मुख्यतः, ये तु चिन्त्यमानाःस्तम्भकुम्भादयस्ताननुमानेनावगच्छन्ति । - कथम्? उच्यते- अस्यैतानि मनोद्रव्याण्यनेनाकारेण परिणतानि लक्ष्यन्ते अतः स्तम्भादिश्चिन्तितः, तस्य परिणामस्य स्तम्भाद्यविनाभावात्, न पुनः साक्षाद् बहिर्द्रव्याणि जानीते इति, क्षयोपशमवैचित्र्यात्, कस्यचित् तदेवंविधं मनःपर्यायज्ञानं भवति येन सामान्यं घटमात्रं चिन्तितमवगच्छति तच्च ऋजुमतिर्मन:
- હેમગિરા -
તે જો સંભવે તો આ “સામાન્યગ્રાહીનો દર્શન અર્થ એ ઉચિત કહેવાય. પણ તેવું સંભવતું જ નથી. એથી સામાન્યગ્રાહી ઋજુમતિ અને વિશેષગ્રાહી વિપુલમતિ એ બન્ને જ્ઞાન જ કહેવાય. (પ્રસ્તુત ટીકાકારને ત ઋજુમતિએ “અલ્પ પર્યાય ગ્રાહકના અર્થમાં જ ઈષ્ટ છે અને વર્તમાનમાં આગમોમાં અને તેની ટીકામાં પણ આ જ પક્ષ સિદ્ધાન્ત તરીકે દેખાય છે. જુઓ વિશેષાવશ્યક ભાષ્ય અને પ્રજ્ઞાપનાની ટીકા). આ પ્રમાણે ઋજુમતિ અને વિપુલમતિની વાત થઈ. - આ મન:પર્યાય શું છે? તેને જણાવતાં કહે છે કે- મન એટલે મનોવર્ગણા અર્થાત્ જીવ વડે વિચારતા મનોવર્ગણારૂપ દ્રવ્ય વિશેષ તેને મન કહેવાય.
* મન:પર્યાયના અર્થને સમજીએ * - આ મનના પર્યાયો પરિણામ વિશેષો અથવા તો મનમાં વર્તતા પર્યાયો તે મન:પર્યાય છે. આ મન:પર્યાય અંગેનું જે જ્ઞાન (મનપર્યાયજ્ઞાનીને હોય) તે મન પર્યાયજ્ઞાન છે. સકળ પ્રમાદથી રહિત એવા સાધુને મન:પર્યાયજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી વિશિષ્ટ એવું જ્ઞાન પ્રકટ થાય. જે જ્ઞાન વડે મનુષ્યલોકમાં રહેનાર મન:પર્યાપ્તિવાળા સંજ્ઞી પંચેન્દ્રિયોના મનના પર્યાયોને =પરિણામોને મુખ્યતયા જાણે, પણ તે વડે ચિત્તવાતાં સ્તંભ-કુંભઆદિ પદાર્થોને અનુમાન વડે જાણે છે. (આ જ્ઞાની છબસ્થ છે તેથી દ્રવ્યમનને જ જાણે દેખે છે અને તે ઉપરથી તેના ભાવોનું અનુમાન કરે છે. બાકી અમૂર્ત જ્ઞાનને સાક્ષાત્ જાણવાનું સામર્થ્ય મન:પર્યવજ્ઞાનમાં ન જ હોય.)
પ્રશ્ન :- એ કઈ રીતે? જવાબ :- આ મન:પર્યાયજ્ઞાની બીજાના મનોદ્રવ્યને અનેક આકારથી પરિણત થયેલા જુએ. જેથી અનુમાન થાય કે આ મનમાં ખંભાદિ ચિંતવાયા છે. કારણ કે મનોદ્રવ્યના આવા ચોક્કસ પરિણામો (= આકારો) ઘટાદિના ચિંતન વિના બનતાં નથી. કારણ કે મનનો પરિણામ પદાર્થને અવિનાભાવી છે અર્થાત્ તે તે ઘટાદિ દ્રવ્યો વિના આ મનના પરિણામો નથી . તહેવું મન: હું માં.૨. દ્ર વ્યું પરિ. નં.૬ ટિ. નં.રૂ?