SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ १९२ तत्त्वार्थाधिगमसूत्रम् १/१५ वक्तुम्, यतः संशयविज्ञानमेवंरूपं भवति यदनेकार्थावलम्बनमूर्ध्वतासामान्यं पश्यतः किमयं स्थाणुरुत पुरुष इति नैकस्यापि परिच्छेदं शक्तं कर्तुमिति तत् संशयविज्ञानमभिधीयते । ईहा पुनरेवंविधलक्षणविपरीता, यतः स्पर्शसामान्य उपलब्धे तदुत्तरकालं मृणालस्पर्शे सद्भूतविशेषादानप्रवृत्ता असद्भूतविशेषपरित्याग प्रवृत्ता चेहेत्यभिधीयते । अमी पूर्वं मृणालस्पर्शे मया सद्भूता विशेषा अनुभूता इत्यतस्तदभिमुखाऽसौ, अमी च नानुभूता इति तत्परित्यागाभिमुखा, अतो न संशयविज्ञानेनास्याः साम्यमस्तीत्येतदाह- निश्चयविशेषजिज्ञासा ईहा । · ईहा निश्चयाभिमुखा • निश्चीयतेऽसाविति निश्चयः । कोऽसौ ? विशेष इत्याह, विशिष्यते भिद्यतेऽन्यस्मादिति विशेषः, निश्चयश्चासौ विशेषश्च निश्चयविशेषः, निश्चितो विशेष इत्यर्थः, तस्य ज्ञातुमिच्छा या सा जिज्ञासा, विद्यमानाविद्यमानविशेषादानपरित्यागाभिमुखेत्यर्थः सैवंविधा ईहाऽभिधीयते । एवं स्व = હેમગિરા * ઈહા અને સંશય વચ્ચેની ભેદરખા આ ઈહાને સંશયજ્ઞાન કહેવું યોગ્ય નથી કારણ કે સંશયજ્ઞાન એટલે કે જે અનેક અર્થોનું આલંબન કરનારું ઉર્ધ્વતા` સામાન્ય રૂપ જ્ઞાન છે, જે એક અર્થનો સત્ય નિર્ણય કરવામાં અસમર્થ છે. જેમ કે સાંજના આછા અંધારામાં દૂર રહેલ શુષ્ક વૃક્ષના થડને જોઈ કોઈ વિચારે કે- “આ ઠુંઠું છે કે માણસ..?” અહિં સાધક અને બાધક પ્રમાણનો અભાવ હોવાથી એક જ વસ્તુમાં જણાતાં અનેક અર્થોનાં ઉર્ધ્વતા સામાન્યનું ભાન કરાવનારા આ સંશયાત્મકજ્ઞાન એકે અર્થનો નિશ્ચય કરવામાં સમર્થ નથી. જ્યારે ઈહા આનાથી વિપરીત છે. કારણ કે અવગ્રહથી સ્પર્શ સામાન્યનું જ્ઞાન થયા બાદ ઉત્તરકાળમાં મૃણાલના સ્પર્શ અંગેનું સદ્ભૂત-વાસ્તવિક જ્ઞાન ગ્રહણ કરવામાં જે પ્રવૃત્ત છે, અને અસદ્ભૂતને ત્યાગ કરવામાં જે પ્રવૃત્ત છે, તે ઇહા કહેવાય. તે આ પ્રમાણે :- ‘આ મૃણાલના સ્પર્શને વિશે આવા વાસ્તવિક-વિશેષો (વિશેષતાઓ) મારા વડે પૂર્વે અનુભવાયેલ છે.’ આમ સદ્ભૂત વાસ્તવિક જ્ઞાનને અભિમુખ આ ઇહા છે, તેમજ ‘આ વિશેષો અનુભૂત નથી' તેમ અસદ્ભૂત (અવાસ્તવિક)ના પરિત્યાગને અભિમુખ પણ આ ઇહા છે. પણ સંશયજ્ઞાનમાં આવું નથી. તેથી સંશય અને ઈહામાં સામ્ય નથી. આને જણાવતાં કહે છે કે પદાર્થના નિશ્ચયાત્મક બોધ અંગેની વિશેષ જિજ્ઞાસા જેમાં છે તે ઈહા છે. ભાષ્ય ગત ‘નિશ્ચર્યાવશેર્શનજ્ઞાસા' પદની વ્યાખ્યા →>> જેનો નિશ્ચય કરાય તે ‘નિશ્ચય'. = પ્રશ્ન :- આ ‘નિશ્ચયરૂપ કોણ છે ?' જવાબ ઃ- ‘સામે રહેલ પદાર્થ-વિશેષ (મૃણાલ વગેરે કે જે ઘટાદિ અન્ય પદાર્થોથી અલગ સ્વરૂપે નિશ્ચિતપણે રહ્યા છે,) તેવા આ નિશ્ચિત વિશેષ નિશ્ચયવિશેષને જાણવાની જે ઈચ્છા તે ‘જિજ્ઞાસા', અર્થાત્ વિદ્યમાન વસ્તુના ગ્રહણ અને અવિદ્યમાનના ત્યાગને અભિમુખ ચેષ્ટા તે જિજ્ઞાસા. આવા પ્રકારની જિજ્ઞાસા તે ઈહા કહેવાય છે. ૧. દા.ત. એક સાધારણ સ્વર્ણદ્રવ્ય વિશે થતા હાર, બાજુબંધ, મુકુટ આદિ પૂર્વાપર અનેક પર્યાયોનું જ્ઞાન તે ઉર્ધ્વતા સામાન્યજ્ઞાન કહેવાય.
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy