SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ १७५ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •પ્રમાસ્થિદિવં ___ भाष्य- अत्राह- इह अवधारिते द्वे एव प्रमाणे *प्रत्यक्षपरोक्षे इति ।। करणव्यपदेशमश्नुते, तया करणभूतया परिच्छिनत्ति-अवबुद्ध्यते ज्ञानपरिणतिरूपयाऽऽत्मैव। तैः प्रमाणैरिति । प्रमाणद्वयेऽभ्युपगते बहुवचनमयुक्तमिति चेत्, न, व्यक्तिपक्षसमाश्रयणादिति, यतो मत्यादिकाः पञ्चव्यक्तयः, तासां बहुत्वात् समीचीनमेव बहुवचनमिति । एवं द्वे परोक्षप्रत्यक्षे प्रमाणे भवत इति ख्यापिते नोदयति- इह शास्त्रे निर्धारितमेतद्-द्वे एव प्रमाणे, अन्यथा 'तत् प्रमाणे' (१/१०) इत्यत्र या द्वित्वसङ्ख्या सा व्यर्थैव स्यात्, यद्यवधारणतया नाश्रीयेत, तस्मादवश्यंतया तद्वचनं नियमकारि प्रतिपत्तव्यम्- द्वे एव प्रमाणे, के? प्रत्यक्षपरोक्षे इति, ततश्चान्येषामप्रमाणता आपन्ना, न च न सन्त्येवान्यानि, यतोऽनुमानादीनि प्रमाणानि मन्यन्ते, साङ्ख्याः – હેમગિરા ૦ ભાષ્યાર્થ - શંકા - પ્રત્યક્ષ અને પરોક્ષ બે જ પ્રમાણ છે. એવું અવધારણ અહીં કરાયું છે. કારણ તરીકે ગોઠવાયેલ અનેક કારકશક્તિથી યુક્ત એવો જે સ્વતંત્ર કર્તા છે. તે કર્તાની ઘટાદિ અર્થને જણાવનારી જે જ્ઞાન શક્તિ તે, પ્રમાણરૂપ કાર્ય માટેનું અત્યંત મુખ્ય સાધન છે. તેમાં સાધકતમત્વની વિવક્ષ કરીએ તો તે (જ્ઞાનશક્તિ)માં કરણનો વ્યપદેશ થઈ શકે. આશય એ કે મુખ્યક્ત એ આત્મા છે અને એમાં રહેલી અર્થની જ્ઞાપિકા એવી “જ્ઞાનશક્તિ' એ કરણ (સાધન) છે. આવા આ કરણભૂત જ્ઞાન પરિણતિવાળી શક્તિ વડે આત્મા જ અર્થને જાણે છે. એથી ભાષ્યમાં કહ્યું કે તેઓ વડે = પ્રમાણો વડે = જ્ઞાનો વડે અર્થો જણાય છે માટે તેઓ પ્રમાણ કહેવાય. શંકા :- પ્રમાણે બે જ હોય તો ભાષ્યમાં બહુવચન પ્રયોગ અયુક્ત કહેવાશે ? સમાધાન - તમારી વાત બરોબર નથી. કારણ કે આ બહુવચન જ્ઞાન(પ્રમાણ)ના વ્યક્તિપક્ષને આશ્રયીને છે. મતિ આદિ પાંચ જ્ઞાન વ્યક્તિ છે. તેથી આ પાંચ (બહુ) જ્ઞાનવ્યક્તિને આશ્રયી બહુવચન પ્રયોગ યુક્ત જ છે. # પ્રમાણ-સંખ્યાની અવધારણા (અહીંથી ઉભો થતો પૂર્વપક્ષ પૃ.૧૫૩ સુધી ચાલશે)આ રીતે પ્રમાણ એ પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારે છે. એ વ્યાખ્યાન થયા બાદ કોઈ પૂર્વપક્ષ- કરે છે કે તે પુર્વ પ્રમાણે અર્થાત્ બે જ પ્રમાણ હોય છે, એમ નિર્ધારણ (અવધારણ) વાક્ય હોવું જોઈએ જો આમ ન હોય તો ૧/૧૦ સૂત્રમાં પ્રમાણની જે બે સંખ્યા બતાડી તે નિરર્થક થાય. તે ન થાય માટે તે વચન અવશ્ય નિયમકારી” (અવધારણાવાળું) જાણવું. અર્થાત્ “બે જ પ્રમાણ છે.” પ્રશ્ન :- “આ બે પ્રમાણ કયા છે?” ઉત્તર :- “પ્રત્યક્ષ, પરોક્ષ આ બે જ પ્રમાણ છે.” આ બે જ પ્રમાણ કહેતાં અન્ય પ્રમાણોની અપ્રમાણતા પ્રાપ્ત થાય અને જો કોઈ એમ કહે કે “બીજા કોઈ પ્રમાણો છે જ નહિ કે જેની અપ્રમાણતાસિદ્ધ થાય” તો એ કહેવું પણ ઉચિત નથી. કારણ કે અનુમાનાદિ પ્રમાણો મનાયા જ છે. જેમ કે સાંખ્યોએ પ્રત્યક્ષ, અનુમાન અને ૨. નવધારિત, મુ.(ઉં,મ) . તૈરિતિા મુ.(T) 1 રૂ. ૪ ૨ ? મુ.(ઉં,મ) : *. જુઓ પરિશિષ્ટ-૪ ટિ. ૨૬
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy