________________
संबंधकारिका-टीकालङ्कृतम्
• ઈજૂનીયા: તાત્વિરુત્ત • तस्मादहति पूजामर्हन्नेवोत्तमोत्तमो लोके। देवर्षिनरेन्द्रेभ्यः, पूज्येभ्योऽप्यन्यसत्त्वानाम् ।।७।। अभ्यर्चनादर्हतां, मनःप्रसादस्ततः समाधिश्च । तस्मादपि निःश्रेयसमतो हि तत्पूजनं न्याय्यम् ।।८।। विशेष व्यवस्थाप्यते यावत् “तस्मादर्हति पूजामर्हन्नेवोत्तमोत्तमो लोके ।।७।।” स किमर्थं कृपाप्रसादयोरभावादर्थ्यनुग्रहाऽप्रवणः सर्वजगता सेव्यत इति चेत्, प्रक्षीणाशेषरागादि-दोषव्रातस्य प्रसादद्रविणाभावेऽपि तत्सेवातो निःश्रेयसलाभस्य ध्रुवत्वात्, तदाह- “अभ्यर्चनादर्हतां, कृतकृत्यस्य प्रयोजनोदेशाभावादप्रेक्षितकार्यचेष्टानाप्तत्वात् परानुग्रहप्रवृत्तिरेव तर्हि न स्यादिति चेत्, न, तीर्थकृन्नामकर्मानु
- હેમગિરા કારિકાર્થ - તેથી અરિહંત ભગવંતો અન્ય પ્રાણીઓને પૂજ્ય એવા દેવો, ઋષિઓ અને મનુષ્યોના ઈદ્રો તરફથી પણ પૂજાને યોગ્ય છે. Iછા આ તીર્થંકરની પૂજા સેવાથી મનની પ્રસન્નતા, સમાધિ અને નિશ્રેયસ એવા મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી જ એમની પૂજા યોગ્ય છે. ટા
દર્શાવીને ૭મી કારિકામાં ‘તેથી આવા અરિહંત જ પૂજાને યોગ્ય છે,” એવો ઉલ્લેખ કર્યો છે.
પ્રશ્ન :- રાગ-દ્વેષથી સર્વથા મુક્ત એવા તીર્થકરો કૃપા – પ્રસાદાદિ ન કરતા હોવાથી અર્થીજનો પર અનુગ્રહ કરવામાં અસમર્થ છે. છતાં સર્વ જગત વડે કેમ પૂજાય છે ?
જવાબ :- ક્ષીણ થયા છે રાગાદિ દોષોના સમૂહ જેના એવા તીર્થંકર પ્રભુ કૃપા કરવામાં પરાક્રમવાળા ન હોવા છતાં, તેમની સેવાથી કલ્યાણની પ્રાપ્તિ ચોક્કસ થાય જ છે. તેમના અતિશય અને આત્મસામર્થ્ય જ અવ્વલ કોટિના હોવાથી તેમનું સાંનિધ્ય સ્વીકારનાર ભવ્ય સાધક અનંત સુખને વરી જાય છે. (જેમ મનોહર સરોવરનો આશ્રય જ ઉકળાટને દૂર કરી આશ્રિતને શીતળતા પ્રદાન કરે છે, પારસમણિ સ્વઆશ્રિત લોઢાને સ્વર્ણ કરે છે, તેમ આ તીર્થકરો પણ તેમના આશ્રિતો આરાધકોને અનુગ્રહ રૂપ બને છે. તીર્થકરોની વાણી કે વ્યવહાર-માત્ર જીવોના હિતને માટે જ હોય છે.) આ પ્રમાણે પ્રભુ પૂજાની ફળશ્રુતિ ૮મી કારિકામાં કહી છે.
# દુન્યવી દૃષ્ટાંતથી પ્રભુ ઉપકારનું અર્થઘટન કર પ્રશ્ન :- જે કૃતકૃત્ય હોય તેઓ કોઈપણ પ્રયોજન કે ઉદ્દેશ વગરના હોવાથી તેમનું કાર્ય પ્રેક્ષા કે વિચાર વિમર્શ વિનાનું હોય, આથી અનાત (સજ્જનને અમાન્ય) જ ગણાય. તો પછી એવી અનાપ્ત કાર્યચેષ્ટાથી કઈ રીતે પરના અનુગ્રહની પ્રવૃત્તિ થઈ શકે ? અર્થાત્ ન થઈ શકે.
જવાબ :- એમ ન કહેવું, કારણકે તીર્થંકર નામ-કર્મના પ્રભાવથી તીર્થકરો પાસે જગતનું હિત કરવાની સહજ શક્તિ હોય છે. જેમ નિરપેક્ષ-નિસ્વાર્થ પ્રયોજનવાળો સૂર્ય સ્વ-પ્રકાશ વડે જીવલોક ઉપર ઉપકાર કરે છે તેમ તીર્થંકર પ્રભુ જ્ઞાન પ્રકાશ વડે લોકો પર ઉપકાર કરે છે. આ જ વાતને સ્પષ્ટ કરતા ૯મી કારિકા કહી છે– { "pલામ" માં, હું.૨. “ નામ" ..