SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ રત્નાવલી. અવગાહનાના કેટલાક પ્રદેશને મૂકતી એવી અન્ય અન્ય નિગોદની સ્થાપનાથી અસંખ્ય ગોળાઓ ઉત્પન્ન થાય છે. સારાંશ:–જે વિવક્ષિત અંગુલના અસંખ્યાતમા ભાગરૂપ આકાશપ્રદેશમાં એક નિગોદ અવગાહેલ છે, તેટલી જ અવગાહનામાં બીજી અસંખ્યાતી નિગોદ અવગાહેલી છે, તેમ જ વિવક્ષિત નિગોદની અવગાહનાની અપેક્ષાએ તેના કેટલાક પ્રદેશોને મૂકીને બાકીના કેટલાક પ્રદેશોમાં વ્યાપીને રહેલી એવી સર્વ દિશાઓમાં અસંખ્યાતી નિગોદે, છે, તેનાથી ગેળાઓ ઉત્પન્ન થાય છે. બીજા ગાળાઓની રચના : तत्तो चिय गोलाओ, उक्कोसपय मुइत्तु जो अन्नो । होइ निगोओ तमि वि, अन्नो निष्फजई गोलो ।। ७॥ અર્થ–ત્યારપછી તે ગોળાના ઉત્કૃષ્ટ પદને છોડીને જે બીજી નિગોદે રહેલી છે. તેમાં પણ ઉત્કૃષ્ટપદથી બીજા ગોળાઓ નીપજે છે. ભાવાર્થ-ઉપર કહેલા ગેળાને આશ્રયિને બીજા ગેળા બને છે તે જણાવે છે – પ્રથમના ગોળાનું વિવક્ષિત ઉત્કૃષ્ટ પદ છોડીને જે બીજ નિગેદે રહી છે, તેમાં અન્ય ઉત્કૃષ્ટ પદની કલ્પનાથી બીજા ગેળા બને છે તેને ભાવ આ પ્રમાણે પ્રથમના ઉત્કૃષ્ટ પદને આશ્રીને વિવક્ષિત નિમેદની અવગાહનામાં એક એક પ્રદે. શની વૃદ્ધિ અને હાનિથી જે અન્ય નિદે સ્થાપી છે, તેમાંની કઈ એક પણ નિગેઇને આશ્રીને બીજી નિગોદો સ્થાપવાથી બીજા ગેળા બને છે, એટલે એક એક આકાશપ્રદેશની વૃદ્ધિ-હાનિથી જે નિગોદ રહી છે, તે નિગોદમાં અન્ય ઉત્કૃષ્ટપદ સ્થાપવાથી, બીજા ગોળા બને છે. (એ પ્રમાણે અસંખ્યાતા ગોળા બને છે.) एवं निगोयमित्ते, खित्ते गोलस्स होइ निष्फत्ती। I d નિખાતે સૌને નવા વિન્ના | ૮ | ’ અર્થ આ પ્રમાણે નિગોદ માત્ર ક્ષેત્રમાં ગેળાની નિષ્પત્તિ થાય છે, અને એ પ્રમાણે કાકાશમાં અસંખ્યાતા ગોળાએ હોય છે. ' ભાવાર્થ-ઉપરની ગાથામાં કહેલા ક્રમ મુજબ અમુક વિવક્ષિત નિર્ગોદમાં અન્ય નિગોદ સ્થાપવાથી નિગોદ માત્ર ક્ષેત્રમાં એટલે ઈચ્છિત જુદી જુદી એક એક નિગેદની અવગાહનાવાળા આકાશપ્રદેશથી અન્ય ગેળાની ઉત્પત્તિ થાય છે. વિવક્ષિત નિગોદની અવગાહનાથી ભિન્ન એટલે એક એક પ્રદેશની વૃદ્ધિ તથા હાનિવાળી અન્ય નિગદના દેશોની અવગાહનાનો પ્રવેશ બીજા ગળામાં થાય છે, અથવા સ્પર્શ થાય છે. આ પ્રમાણે લેકમાં અસંખ્યાતા ગોળાઓ બને છે, કારણ કે લેકાકાશના તમામ પ્રદેશે નિગદના સમૂહથી અવગાહેલા છે. દરેક નિગોદની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે અને દરેક નિગોદ ગોળાની ઉત્પત્તિ થાય છે, માટે ગળા પણ અસંખ્યાતા છે.
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy