SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મના સૈદ્ધાંતિક સાહિત્યનો ઇતિહાસ આગમોનો પરિચય ૧૧ અંગગ્રંથોનો પરિચય : (૧) આચારાંગસૂત્ર : દિગંબર અને શ્વેતાંબર પરંપરાના ગ્રંથોમાં અનુક્રમે આઠ પ્રકારની શુદ્ધિઓનું અને પાંચ પ્રકારના આચારનું વિવેચન બતાવ્યું છે તે આચારાંગસૂત્રમાં ઉપલબ્ધ થાય છે. આચારાંગસૂત્રના બે શ્રુતસ્કંધોમાંથી પ્રથમ શ્રુતસ્કંધનું નામ બ્રહ્મચર્ય છે. તેના નવ અધ્યયન છે. પ્રથમ અધ્યયન “શસ્રપરિક્ષા”માં હિંસીાના ત્યાગરૂપ સંયમના વિષયમાં વિચાર સામાન્યપણે રાખ્યા છે. બીજું અધ્યયન ‘લોક વિજય'માં સંસારના મૂળ કારણરૂપ ચાર કષાય જીતવાના ભાવ બતાવ્યા છે. ત્રીજું અધ્યયન “શીતોષ્ણીય’માં સુખ અને દુઃખ બંનેના ત્યાગનો ઉપદેશ છે. ચોથું અધ્યયન “સમ્યક્ત્વ”માં સમકિતની પ્રાપ્તિ માટેની પ્રેરણા આપવામાં આવી છે. પાંચમાં અધ્યયન “લોકસાર”માં સામાન્ય શ્રમણચર્યાનું પ્રતિપાદન છે. છઠ્ઠા “ધૂત” અધ્યયનમાં તૃષ્ણાને દૂર કરવાનો ઉપદેશ છે. સાતમું ‘મહાપરિજ્ઞા' અધ્યયન વર્તમાનમાં અનુપલબ્ધ છે. આઠમા ‘વિમોક્ષ” અધ્યયનમાં મોહ ન રાખવાનો ઉપદેશ છે. નવમા “ઉપધાનશ્રુત” અધ્યયનમાં ભગવાન મહાવીરની સાધનાનું વર્ણન છે. બીજા શ્રુતસ્કંધમાં પાંચ ચૂલિકાઓ છે. 3
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy