________________
ગુરુવર્યો દ્વારા તથા ગુરુણીમૈયા દ્વારા મળેલા શુભાશિષોને આપે સવાયા કર્યા છે... સફળ કર્યા છે.
આપના પવિત્ર-જીવન-કવનથી આજે સૌ કોઈ, માતા-પિતા પરિવાર, ગુરુ ભગવંતો, ગુરુમાતા, સમુદાય, સહવર્તિઓ અને શિષ્યાઓ ગૌરવ અનુભવે છે, ધન્યતા અનુભવે છે. ‘‘અપુર્વી નાણ ગહણે સુયજાતિ પવયણે પભાવણયા’
શાસ્ત્રોક્ત ગાથાની આ પંક્તિને આપે સાર્થક કરી છે.
વધુ ન લખતાં હવે અહીં ટૂંકાવું છું.
બસ શાસનદેવ આપને ઘણી શક્તિ આપે અને એ શક્તિ આપ “સર્વજીવ કરુ શાસન રસીમાં' ખર્ચશો.
તો સર્વત્ર અજવાળા પથરાઈ જશે... અંધારું દૂર ચાલ્યું જશે. આપ દ્વારા લેખીત આગમઅર્ક, આગમ અમૃત અને આગમ ઓજસ ગ્રંથો પણ આજે સર્વને ઉપયોગી બની રહ્યા છે...
અંતમાં યા વિદ્યા સા વિમુક્તયે યુક્તિ અનુસાર આ વિદ્યા આ જ્ઞાન આપણને સૌ કોઈને જન-જનને મુક્તિ અપાવનારું બની શકે... બની રહો...
તારાબાઈ આર્યજી સિદ્ધાંત ટ્રસ્ટના, ટ્રસ્ટીમંડળ, પ્રમુખશ્રી, મંત્રીશ્રી, સલાહકાર સમીતિ, અને વ્યવસ્થાપકના ભાવવંદન..
અમને પણ આશિષ આપી સદૈવ અમારા પર કૃપા વરસાવશો... એ જ મંગલ
મનોકામના
૩૯
લી.
પં. રાજેન્દ્ર એમ. શાહ “જૈન સિદ્ધાંતાચાર્ય" અહમદનગર
અધ્યાપક - તારાબાઈ આર્યાજી સિદ્ધાંત ટ્રસ્ટ,
નારણપુરા, અમદાવાદ,
૫-૨-૨૦૦૬ રવિવાર