________________
અંતરના આશીર્વાદ શ્રી દેવ-કર્મ-નાગ-રત્ન-લઘુ પ્રાણ ગુરુકુળના નભોમંડળમાં તેજસ્વી તારલા સમાન, સંયમ સાધિકા શિષ્યા રત્ના સાધ્વી શ્રી નીતાબાઈ મ. સ. જી
આજની આ અનહદ આનંદની પળે ભિતરના ભાવે ઉરની ઉર્મીઓ સહજ રીતે પ્રગટ થયા વિના રહે જ નહી. એ ન્યાયે અંતરના અહોભાવથી ઉરના ઉમળકાથી ખૂબ ખૂબ ધન્યવાદ ભૂરી ભૂરી અનુમોદના.
ઓજસ્વી શિષ્યા શ્રી નીતા તારા માટે લખવામાં શબ્દોની દુનિયા સીમીત લાગે છે. છેલ્લા ૩૫ વર્ષની સંયમ પર્યાયમાં મેં તને સતત વાંચતા-લખતા-અભ્યાસ કરતા-ચિંતન-મનન કરતાપુરુષાર્થ શીલ જોઈને જાણે આજીવન વિદ્યાર્થીની જ રહેવાની ભાવના ન હોય, એવું જ લાગ્યા કરે છે. “આગમઆર્ક આગમ ઓજસ જેવા તત્ત્વભર્યા પુસ્તકો બહાર પાડ્યા છે. પાથર્ડી બોર્ડની ૧૦ ખંડની પાંચ પરીક્ષા પાંચ વર્ષમાં આપી. શ્રીમાન વિદ્યાપીઠ ઘાટકોપરની પાંચ પરીક્ષાઓ, પાંચ વર્ષમાં આપી. હિન્દીની નવ પરીક્ષા આપી. કુલ ૨૬ પરીક્ષામાં ફર્સ્ટ આવેલ
છો.
શ્રુત મહાસાગરના ઊંડા અવગાહન અને તીવ્ર બુદ્ધિ દ્વારા મહાદંડક ઉપર ૫૫૦ પેઈજનો નિબંધ લખી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરેલ છે. કચ્છ આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાયમાં પીએચ.ડી.ની પદવી તે જ પ્રથમ પ્રાપ્ત કરી છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેગ્યુલેશન. મણિયા સતિ મંડળ અપૂર્વ આનંદ સાથ ગૌરવ અનુભવે છે. અંતરના અમીભર્યા શુભાશિષ પાઠવું છું કે હવે આગમ બત્રીસીનું આતમલક્ષી અભ્યાસ કરી કંઠસ્થ કરી
૩૨ સિદ્ધાંતની બની જાણ, મુક્ત મને કરજે રસલ્હાણ, અવધારી અરિહંતની આણ.
નીતા ! તું બની જજે અનંત ગુણની ખાણ. એ જ લિ. પૂ. મણિયા ગુણી મૈયાના અંતરના અમીભર્યા શુભાશિષ સાથ મંગલમય મનોકામના. તારા પાવન કરકમલે ખૂબ ખૂબ શાસન પ્રભાવનાના કામો થાય એ જ.
૨૪