________________
કચ્છ આઠ કોટિ મોટીપલ સંપ્રદાય ૐ શ્રી નાગેન્દુ ગુરુવે નમઃ “ૐ શ્રી પાર્થ”, સૌમ્યમૂર્તિ સદાબહાર, જ્ઞાનપીપાસુ ધર્મભગીની તપતારીકા પૂ. નીતાબાઈ મ. સ.જી તથા મધુરકંઠી ચાંદનીબાઈ મ. સ. ઠાણા ૨ સાતામાં હશો. અત્રેથી તમારા ગુરુબંધુઓ પૂ. ઉપા. શ્રી વિનોદચંદ્રજી સ્વામી આદી ઠા ૪ વતી શુભેચ્છક નવીનમુનિની સસ્નેહ સુખસાતા સ્વીકારશો.
તમોને પીએચ.ડી. ઉપાધિ (ડિગ્રી) પ્રાપ્ત થઈ રહેલી છે તે જાણી ઘણો હર્ષ અનુભવ્યો.
અહિંસા સંયમ અને તપના ત્રિવેણી સદ્ગણો સંગમ પ્રાપ્ત કરનાર જ્ઞાન પીપાસુ સાહિત્ય સર્જક પૂ. નીતાબાઈ મ. સ.
આપશ્રી ધાર્મિક સાહિત્ય ક્ષેત્રે ઊંડું સંશોધન કરી મહાનિબંધ (થીસીસ) તૈયાર કરી ડૉ. ઓફ ફિલોસોફી પીએચ.ડી.ની ડીગ્રી ઉપાધિથી અલંકૃત થઈ રહ્યા છો તે જાણી અમો સર્વે સંતો ખૂબ ખૂબ હર્ષ સાથે ગૌરવની લાગણી અનુભવીએ છીએ.
અંગ્રેજીમાં કહેવત છે ....... (લનીંગ ઇઝ નોટ ઓલ્ફી ફોર અરનીંગ) ભણતર જ્ઞાન એ ફક્ત લક્ષ્મી પ્રાપ્તિ કમાણીનું સાધન નથી પરંતુ એ જ્ઞાન ભણતર ભાવિ જીવન ઘડતર અને સંસ્કાર ચણતરનું ઉમદા કામ કરી શકે છે.
નાણસ્સ સબ્યસ્સ પગાસણાએ એ સૂત્રયુક્તિ અનુસાર સમ્યફ જ્ઞાન દરેકને માટે નૂતન પ્રકાશની પ્રેરણા આપે છે. મિથ્યાત્વ અજ્ઞાનરૂપી અંધકારને હટાવી પૂનિત પ્રકાશ પાથરે તે જ સમ્યફજ્ઞાન.
તમે અદમ્ય ઉત્સાહ અથાગ પરીશ્રમ દ્વારા ઉત્તરોત્તર સિદ્ધિના શિખરો સર કરી રહ્યા છો. સાહિત્યરત્ન, વિદ્યાભાસ્કર, જૈન સિદ્ધાંત આચાર્ય આદિ અનેક પદવીઓથી અલંકત થઈ ગયા છો અને હવે તમે પીએચ.ડી.ની ઉચ્ચ ઉપાધિ (ડીગ્રી) મેળવી ને સિદ્ધિ શિખરો ઉપર સુવર્ણ કળશ ચડાવેલ છે. તે ખરેખર અભિવંદનીય અભિનંદનીય અનુમોદનીય ધન્યવાદને પાત્ર છે. આ રીતે તમે ફક્ત આઠ કોટિ મોટી પક્ષ સંઘનું જ નહિ, પણ સમસ્ત સ્થાનકવાસી સંપ્રદાય સાથે સારાય જૈન સમાજનું ગૌરવ વધારે છે. તમોએ પોલા અઠ્ઠમ (શાંતી અટ્ટમ) તપની સમ્યક આરાધના સાથે પોતાની જવાબદારીથી ચાતુર્માસ દરમ્યાન વ્યાખ્યાન, વાંચણી, બાલ નારીધર્મ સંસ્કાર શિબિર, નવી નવી સ્પર્ધાઓ, કરાવવાપૂર્વક પીએચ.ડી.નો અભ્યાસ પરીપૂર્ણ કર્યો એ તમારી અદમ્ય ઇચ્છાશક્તિનો ઉમદા ઉદાહરણ છે. તમારી ઉચ્ચ સિદ્ધિના સહયોગી પૂ. ઉપકારી ગુરુદેવો તથા પૂ. ગુરુણી મૈયાઓના અદશ્ય કૃપા દૃષ્ટિ આશીર્વાદ તો ખરા જ પણ સાથે જ તમારી આ સિદ્ધિયાત્રામાં સહયોગી તમારી સુવીનીત સુશિષ્યા બા. બ્ર. ચાંદનીબાઈ મ. સ. છે તથા ઘનશ્યામનગર સંઘના પ્રમુખશ્રી મનસુખભાઈ જે શાહ આદી ઉત્સાહી કાર્યકર્તાઓ તેમજ માર્ગદર્શક પ્રોક્સરો આદી નામી અનામી ભાઈ બેનો ધન્યવાદને પાત્ર છે. અંતમાં આપશ્રી આ ગૌરવપદ સિદ્ધિ પ્રાપ્ત કરીને તમારા ઉચ્ચજ્ઞાનનો લાભ સંઘ-સમાજ સંપ્રદાય અને શાસનને મળતો રહે અને તમે હજી પણ ધર્મસિદ્ધિના શિખરો શરૂ કરી શીધ્ર સર કરી શીધ્ર મુક્તિની મંઝીલ મેળવો એવી મંગલ મનીષા..
મુનિશ્રી નવીનચંદ્રજી (લઘુશિશુ) રાપર, કચ્છ.
ર0