________________
જીવ† સંશીપણામાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સો પૃથ સાગરોપમથી કાંઈક અધિક કાળ સુધી સંજ્ઞી જીવ નિરંતર સંજ્ઞીપણામાં રહે છે.
જીવ અસંશીપણામાં જઘન્ય અંતર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પર્યંત નિરંતર અસંજ્ઞીપણામાં રહે છે.
જીવ નોસંશી, નોઅસંશીપણામાં સાદિ અપર્યંવસિત રહે છે.
જ્યારે કોઈ અસંજ્ઞી પર્યાયથી નિકળીને સંશી પર્યાયમાં ઉત્પન્ન થાય છે. અને તે પર્યાયમાં અં. મુ. સુધી જીવિત રહીને પછી અસંજ્ઞી પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય છે. ત્યારે તે અં.મુ. જ સંજ્ઞી અવસ્થામાં રહે છે. ઉત્કૃષ્ટ કિંચિત કાળ સો પૃથ સાગરોપમ સ્પષ્ટ જ છે. .
અસંશી જીવં જઘન્ય અં. મુ. સુધી અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી અસંજ્ઞી જીવ નિરંતર પર્યાયથી યુક્ત રહે છે. જ્યારે કોઈ જીવ સંશીમાંથી નિકળીને અસંજ્ઞી પર્યાયમાં જન્મ લે છે અને ત્યાં અં. રહીને પુનઃ સંશી પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય છે. તે સમયે અં. મુ. સુધી જ ખસંજ્ઞી પર્યાયથી યુક્ત રહે છે. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સ્પષ્ટ જ
છે. જેમ કે વનસ્પતિકાળ પણ અસંજ્ઞી છે.
નો સંશી-નો અસંશી જીવ કેવલી છે અને તેનો કાલ સાદિ અપર્યવસિત છે. કેમકે તેની સ્થિતિ પૂર્ણ થવાની જ નથી.
'અલ્પબહુત્વ' :
સંશી, અસંશી અને નોસંશી નોઅસંશી જીવોમાં બધાથી ઓછા જીવ સંશી છે. કેમકે વિશિષ્ટ મનવાળાજ જીવ સંશી કહેવાય છે. અને એવા જીવ બધાથી ઓછા છે. સંશીઓની અપેક્ષાએ નોસંજ્ઞી નોઅસંજ્ઞી અનંતગણા છે. કેમકે એવા જીવ સિદ્ધ છે. અને તેઓ સંશીઓની અપેક્ષાએ અનંતગણા છે. તેમની અપેક્ષાએ પણ અસંશી જીવ અનંતગણા છે. કેમકે વનસ્પતિકાયિક આદિ જીવ અનંતગણા છે અને તેઓ બધા સિદ્ધોથી પણ અનંતગણા છે.
893